A volta de Jesus
A volta de Jesus é uma das maiores promessas da Bíblia. Cristo prometeu que retornará em glória, e os cristãos vivem na expectativa desse dia triunfante.
A promessa do retorno
Jesus prometeu aos discípulos que voltaria. Os anjos confirmaram essa promessa na ascensão, e os apóstolos ensinaram que Ele virá com poder.
મારા પિતા ના ઘરમાં ઘણાં ઓરડાઓ છે, જો એમ ન હોત તો, હું તમને કહેત, હું તમારા માટે જગ્યા તૈયાર કરવા ત્યાં જાઉં છું. અને હું જઈશ અને તમારે માટે જગ્યા તૈયાર કરીશ, હું પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ કે જયાં હું છું ત્યાં તમે મારી સાથે રહો.
એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતાં જ તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને વાદળે તેમને તેઓની નજરથી છુપાવી દીધા.
તેઓ આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા હતા, તેવામાં તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં બે પુરુષોને તેમની બાજુમાં ઊભા રહેલાં જોયા. તેઓએ કહ્યું, "ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? આ જ ઈસુ, જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઇ લેવામાં આવ્યા છે, જેમ તમે તેમને સ્વગઁમાં જતાં જોયા તે જ રીતે તેઓ પાછા આવશે."
જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે, "હા, હું થોડીવારમાં આવું છું."
આમીન. "આવો, પ્રભુ ઈસુ!"
"જુઓ! હું જલ્દી આવું છું! અને દરેક વ્યકતિને તેમની કરણીઓ પ્રમાણે બદલો ભરી આપવાનો મારી પાસે છે.
Os sinais e o momento
Ninguém sabe o dia nem a hora. Jesus alertou sobre falsos sinais e nos chamou à vigilância constante, pois Ele virá como ladrão na noite.
"પણ તે દિવસ કે ઘડી વિશે કોઈ જાણતું નથી, આકાશમાં દૂતો પણ નહિ કે દીકરો પણ નહિ; પણ કેવળ પિતા જ. જેમ નૂહનાં દિવસોમાં હતું એવું જ માણસના દીકરાના આગમન સમયે થશે: કેમકે જળપ્રલય પહેલાના દિવસોમાં, નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતાં અને પીતાં, પરણતા અને પરણાવતાં હતાં. જળપ્રલય આવ્યો અને એ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી શું થશે તેની તેઓને કંઈ ખબર ન પડી, માણસના દીકરાનું આગમન એવું જ થશે.
"પણ તે દિવસ કે ઘડી વિશે કોઈ જાણતું નથી, આકાશના દૂતો નહિ કે પુત્ર નહિ, પણ કેવળ પિતા જ."
હવે ભાઈઓ અને બહેનો, સમયો તથા પ્રસંગો વિશે મારે તમને લખવાની જરૂર નથી. કારણ કે તમે સારી રીતે જાણો છો કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. જયારે લોકો કહેતાં હશે કે, "શાંતિ અને સલામતી!" ત્યારે અચાનક શરૂ થતી પ્રસૂતિની વેદનાની માફક તેઓના પર વિનાશ આવી પડશે. અને તેઓ બચી નહિ જશે.
"માટે જાગતાં રહો, કેમકે તમારાં પ્રભુ ક્યાં દિવસે આવવાના છે તે તમે જાણતા નથી. પણ આ સમજો, રાત્રીના કયાં સમયે ચોર આવવાનો છે એ જો ઘરધણી જાણતો હોત તો તે જાગતો રહીને ઘરમાં ચોરી થવા ન દેત. તેથી તમે પણ તૈયાર રહો, કેમકે માણસનો દીકરો તમે ધારતાં નહિ હોય એ સમયે આવશે.
હવે, ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ મસીહના પુનરાગમન અને તેમની સાથે આપણા એકત્ર થવા વિશે, અમે તમને વિનંતી કરીએ છીએ, અમારા તરફથી કથિત શિક્ષણથી, ભલે તે ભવિષ્યવાણી દ્રારા હોય કે મૌખિક રીતે કે પત્ર દ્રારા પ્રભુનો દિવસ આવી ગયો છે એવી અફવા સાંભળીને અસ્વસ્થ કે ગભરાઈ ન જશો. કોઈ તમને છેતરે નહિ, કારણ કે જયાં સુધી બળવો ન થાય અને દુષ્ટ માણસ, જેનો વિનાશ થવાની તૈયારી છે, તે પ્રગટ ન થાય, ત્યાં સુધી તે દિવસ આવશે નહિ. તે જે ઈશ્વર કહેવાય છે અથવા જે પૂજ્ય મનાય છે, તેની વિરુદ્બ તે પોતાને મોટો મનાવશે, જેથી પોતે ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઇશ્વરનાં મંદિરમાં બેસે.
A glória da segunda vinda
Cristo voltará nas nuvens, com poder e grande glória. Os mortos em Cristo ressuscitarão, e os vivos serão arrebatados para encontrá-lo nos ares.
કેમકે પ્રભુ પોતે ગર્જનાસહિત, પ્રમુખદૂતના પોકાર સહિત અને ઈશ્વરના રણશિંગડાંનાં અવાજ સાથે સ્વર્ગમાંથી ઊતરશે અને જેઓ મસીહમાં મૃત્યુ પામ્યા છે તેઓ પ્રથમ સજીવન થશે. ત્યાર પછી, આપણામાંનાં જેઓ જીવતાં અને બાકી રહેલાં છે તેઓ પ્રભુને મળવાં માટે તેમની સાથે વાદળોમાં ઊચકાઇ જઈશું; અને એમ આપણે સદા પ્રભુની સાથે રહીશું.
"પણ તે દિવસોમાં એ વિપતિ પછી,
" ‘સૂર્ય અંધકારરૂપ થઈ જશે,
અને ચંદ્ર તેનો પ્રકાશ આપશે નહિ;
તારાઓ આકાશમાંથી ખરશે.
અને આકાશી મંડળો હલાવાશે.’
"તે સમયે લોકો માણસના દીકરાને મહાસામથ્યઁ અને મહિમાસહિત વાદળામાં આવતો જોશે. અને તેઓ પોતાના દૂતોને મોકલીને, તેઓ પૃથ્વીનાં છેડાથી આકાશના છેડા સુધી ચારે દિશામાંથી પોતાના પસંદ કરેલાંઓને એકત્ર કરશે.
"જયારે માણસનો દીકરો પોતાના મહિમામાં સવઁ દૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના ગૌરવી રાજ્યાસન પર બિરાજશે. સવઁ દેશજાતીઓ તેની આગળ એકઠી કરવામાં આવશે, અને તે સર્વ લોકોને એકબીજાથી જુદી પાડીશ જેમ ઘેટાપાળક ઘેંટાંને બકરાંથી જુદાં પાડે છે, તે ઘેટાંને તેની જમણે અને બકરાંને તેની ડાબે રાખશે.
પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું અને ત્યાં મારી આગળ સફેદ ઘોડો જોયો, જેનો સવાર વિશ્વાસુ તથા સત્ય કહેવાય છે. તે પ્રામાણિકપણે ન્યાય અને લડાઈ કરે છે. તેમની આંખો અગ્નિની જવાળા જેવી છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે, અને તેમના પર એવું નામ લખેલું છે કે જે તેમના પોતાના સિવાય બીજું કોઈ જાણતું નથી. તેમણે રકતમાં બોળેલો ઝભ્ભો પહેરેલો છે, અને તેમનું નામ ઈશ્વરનો શબ્દ છે. તેમની પાછળ સ્વર્ગમાંનાં સૈન્યો શણના બારીક, શ્વેત અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને શ્વેત ઘોડા પર સવાર થઈને તેમની પાછળ પાછળ ચાલ્યા. તેમના મોંમાથી તીક્ષ્ણ તરવાર નીકળે છે જેનાથી તે વિદેશીઓને મારે. "તે લોખંડના દંડથી તેઓના પર રાજ્ય કરશે." અને સર્વશકિતમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષાકુંડ ખૂંદે છે. તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર આ નામ લખેલું છે:
રાજાઓનાં રાજા તથા પ્રભુઓના પ્રભુ.
જે કોઈ મારે લીધે અને મારાંં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના તથા પિતાનાં તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે, ત્યારે તેઓ શરમાશે.
Vivendo na expectativa
A certeza do retorno de Cristo nos chama a viver em santidade, aguardando novos céus e nova terra onde habita a justiça.
પરંતુ વહાલાં મિત્રો, આ એક વાત ભૂલશો નહિ પ્રભુની નજરમાં એક દિવસ હજાર વર્ષોના જેવો, અને હજાર વરસો એક દિવસનાં જેવાં છે. વિલંબનો જેવો અથઁ કેટલાએક કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતાં નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પસ્તાવો કરે એવું ઇચ્છીને પ્રભુ તમારે માટે, ધીરજ રાખી રહ્યા છે.
પણ પ્રભુનો દિવસ ચોરની માફક આવશે. ત્યારે ગર્જનાસહિત આકાશો અદ્રશ્ય થઈ જશે; ને તત્વો અગ્નિથી નાશ પામશે, અને પૃથ્વી તથા તેમાં જે કાંઈ છે તે સર્વ બાળી નાખવામાં આવશે.
આ રીતે બધું જ નાશ પામશે, તો તમારે કેવાં લોકો બનવું જોઈએ? તમારે પવિત્ર અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ. પ્રભુના આગમનના એ દિવસની તમે આતુરતાથી રાહ જુઓ અને તેમના આવવાનું જલદી થાય એવા પ્રયત્ન કરો. તે દિવસે આકાશોને બાળી નાંખશે અને તત્વો બળીને પીગળી જશે. પણ, આપણે તેમના વચન પ્રમાણે નવાં આકાશ અને નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ જયાં કેવળ ન્યાયીપણું જ વસે છે.
જેમ માણસને એક જ વાર મરવાનું અને પછી તેનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, તેમ મસીહે પણ ઘણા લોકોનાં પાપ દૂર કરવા માટે એક જ વાર બલિદાન આપ્યું; અને તે બીજી વાર પણ પ્રગટ થશે, પાપ વેઠવા માટે નહિ, પરંતુ જેઓ તેમની રાહ જુએ છે તેમના માટે તારણ લાવવાં માટે.