15 પ્રભુના વચન પ્રમાણે અમે તમને કહીએ છીએ કે પ્રભુના આગમન સમયે જેઓ જીવંત હશે તેઓ ચોકકસપણે ઊંઘી ગયેલાઓની અગાઉ જનાર નથી. 16 કેમકે પ્રભુ પોતે ગર્જનાસહિત, પ્રમુખદૂતના પોકાર સહિત અને ઈશ્વરના રણશિંગડાંનાં અવાજ સાથે સ્વર્ગમાંથી ઊતરશે અને જેઓ મસીહમાં મૃત્યુ પામ્યા છે તેઓ પ્રથમ સજીવન થશે. 17 ત્યાર પછી, આપણામાંનાં જેઓ જીવતાં અને બાકી રહેલાં છે તેઓ પ્રભુને મળવાં માટે તેમની સાથે વાદળોમાં ઊચકાઇ જઈશું; અને એમ આપણે સદા પ્રભુની સાથે રહીશું. 18 તો આ વચનો વડે તમે એકબીજાને ઉત્તેજન આપો.
Publicidade
Publicidade