જૂઠા ઉપદેશકો અને તેમનો વિનાશ
1 પરંતુ લોકોમાં જૂઠા પ્રબોધકો હતાં, જેમ તમારાંમાં પણ જૂઠા ઉપદેશકો છે. તેઓ ગુપ્ત રીતે પાખંડ ફેલાવશે, અને જે પ્રભુએ તેમનો ઉધ્ધાર કયોઁ તેમનો નકાર કરશે, અને પોતાના પર ઉતાવળે વિનાશ લાવશે. 2 ઘણાં લોકો તે પ્રમાણે વર્તશે. અને સત્યનાં માર્ગને બદનામ કરશે. 3 પોતાના લોભમાં આ શિક્ષકો ખોટી વાતાઁઓ દ્રારા તમારું શોષણ કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેમનો વિનાશ ઊંઘતો નથી.