10 કેમકે જયારે અમે તમારી સાથે હતા, ત્યારે અમે તમને આ નિયમ આપ્યો હતો કે: "જે કોઈ કામ કરવા તૈયાર નથી, તેણે ખાવું નહિ."
11 પણ અમારા સાંભળવામાં આવ્યું છે કે તમારાંમાંના કેટલાક આળસુ અને સ્વછંદી છે. તેઓ વ્યસ્ત નથી, પણ બીજાઓનાં કામમાં દખલગીરી કરે છે. 12 પ્રભુ ઈસુ મસીહના નામમાં અમે એવા લોકોને આજ્ઞા અને વિનંતી કરીએ છીએ કે તેઓ સ્થાઈ થઇને શાંતીથી, કામ કરીને પોતે કમાઈને ખાય.