14 તમે જે કાંઈ કરો તે વાદવિવાદ અને દલીલ વગર બધું કરો, 15 જેથી તમે નિદોઁષ અને શુધ્ધ બનો, "વિકૃત અને કુટીલ પેઢીમાં ઈશ્વરનાં નિદોઁષ બાળકો" બનો, પછી તમે આકાશના તારાઓની જેમ તેમની મધ્યે ચમકશો. 16 જો તમે જીવન આપનાર વચનને દ્રઢતાથી વળગી રહો, તો મસીહના દિવસે હું એવું અભિમાન કરી શકું કે હું વૃથા દોડયો નથી કે મહેનત કરી નથી.
Publicidade
Publicidade