Publicidade

Anjos

Por Bíblia Online

Os anjos são seres celestiais criados por Deus para servir, adorar e executar seus propósitos. A Bíblia revela anjos mensageiros, guerreiros e protetores ao longo de toda a história redentora.

પણ તેણે આ વાતનો વિચાર કયાઁ પછી, પ્રભુના એક દૂતે સ્વપ્નમાં તેને દશઁન આપીને કહ્યું કે, "યોસેફ, દાવિદના દીકરા! મરિયમને તારી પત્ની તરીકે ઘરે લઈ જવા ગભરાઈશ નહિ; કારણ કે, તેને જે ગર્ભ રહેલો છે, તે પવિત્ર આત્માથી છે.

દૂતે સ્ત્રીઓને કહ્યું, "ગભરાશો નહિ! કેમકે હું જાણું છું કે ક્રૂસે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી! તેમના કહયાં પ્રમાણે તેઓ ઉઠયા છે. આવો ને જુઓ, જયાં તેઓ સુતા હતા તે જગ્યાં જુઓ.

શું તમે એવું વિચારો છો કે હું મારા પિતાને બોલાવી શકતો નથી, જો મારા પિતાની પાસે માગું તો તેઓ તરત જ દૂતોની બાર ફોજ કરતાં વધું મોકલી આપશે?

પણ દૂતે તેને કહ્યું, "મરિયમ, ગભરાઈશ નહિ! તું ઈશ્વરથી કૃપા પામી છે. તને ગર્ભ રહેશે અને પુત્રને જન્મ આપશે. અને તું તેને ઈસુ કહેશે.

પણ દૂતે તેઓને કહ્યું, "બીહો માં! હું સુસમાચાર લાવ્યો છું, અને તે સર્વને લોકોને માટે આનંદનું કારણ થશે:

"પરમઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ;

અને પૃથ્વીમાં જેઓ પર તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ."

એ જ પ્રમાણે, હું તમને કહું છું, જયારે એક પાપી પસ્તાવો કરે છે, ત્યારે ઈશ્વરના દૂતોમાં આનંદ વ્યાપી જાય છે."

તેઓ આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા હતા, તેવામાં તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં બે પુરુષોને તેમની બાજુમાં ઊભા રહેલાં જોયા. તેઓએ કહ્યું, "ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? આ જ ઈસુ, જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઇ લેવામાં આવ્યા છે, જેમ તમે તેમને સ્વગઁમાં જતાં જોયા તે જ રીતે તેઓ પાછા આવશે."

ભાઈઓ અને બહેનો તરીકે એકબીજા પર પ્રેમ રાખો. અજાણ્યાઓને પરોણાગત કરવાનું ભૂલશો નહિ, કેમકે એવું કરવાથી કેટલાકે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે.

જો કે હું માણસોની કે દૂતોની ભાષાઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો હું માત્ર રણકાર કરનાર પિતળ કે ઝમકાર કરનાર ઝાંઝનાં જેવો છું.

બધા પ્રશ્ન ઉપરાંત, એ રહસ્ય છે કે ઈશ્વરમય જીવન જીવવું એ મોટો મઁમ છે;

માનવદેહે તે પ્રગટ થયા,

આત્મા દ્રારા ન્યાયી ઠરાવાયાં,

દૂતો દ્રારા જોવામાં આવ્યા,

સર્વ પ્રજાઓમાં પ્રચાર કરવામાં આવ્યો,

એમનાં પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો,

અને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.

કેમકે પ્રભુ પોતે ગર્જનાસહિત, પ્રમુખદૂતના પોકાર સહિત અને ઈશ્વરના રણશિંગડાંનાં અવાજ સાથે સ્વર્ગમાંથી ઊતરશે અને જેઓ મસીહમાં મૃત્યુ પામ્યા છે તેઓ પ્રથમ સજીવન થશે. ત્યાર પછી, આપણામાંનાં જેઓ જીવતાં અને બાકી રહેલાં છે તેઓ પ્રભુને મળવાં માટે તેમની સાથે વાદળોમાં ઊચકાઇ જઈશું; અને એમ આપણે સદા પ્રભુની સાથે રહીશું.

જે વિજય પામે છે, તેઓને એ જ રીતે, શ્વેત વસ્ત્રો પહેરાવવામાં આવશે અને હું તેઓનાં નામ જીવનનાં પુસ્તકમાંથી ભૂંસી નાંખીશ નહિ, પરંતુ મારા પિતાની તથા તેમના દૂતોની સમક્ષ હું તેઓનાં નામ કબૂલ કરીશ.

કેમકે મને ખાતરી છે કે, ન તો મરણ, ન જીવન, ન તો દૂતો કે દુષ્ટ, ન વતઁમાન કે ન ભવિષ્ય, કે ન તો કોઇ પરાક્રમ, ઊંચાણ કે, ઊંડાણ કે બીજું કાંઈ પણ સૃષ્ટ વસ્તુ, ઈશ્વરના પ્રેમ આપણા પ્રભુ મસીહ ઈસુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-22_10-02-25-