Ano novo
O Ano Novo é oportunidade de renovação e consagração. A Bíblia convida a esquecer o que ficou para trás e avançar em fé, confiança e esperança em Deus.
ભાઈઓ અને બહેનો મેં પકડી લીધું છે, એમ હું ગણતો નથી. પણ એક કામ હું કરું છું, જે પાછળ છે તેને ભૂલીને અને જે આગળ છે તેની તરફ ધગશ રાખું છું. હું ધ્યેય તરફ આગળ વધું છું, જેના માટે ઈશ્વરે મને મસીહ ઈસુમાં સ્વગીઁય ઈનામને માટે બોલાવ્યો છે.
એવું નથી કે આ બધું હું પહેલેથીજ સંપાદન કરી ચૂકયો છું, અથવા હું મારા ધ્યેય સુધી પહોંચી ગયો છું, પણ મસીહ ઈસુએ મને જે માટે પકડી લીધો છે તે મેળવવા માટે હું આગળ વધુ છું. ભાઈઓ અને બહેનો મેં પકડી લીધું છે, એમ હું ગણતો નથી. પણ એક કામ હું કરું છું, જે પાછળ છે તેને ભૂલીને અને જે આગળ છે તેની તરફ ધગશ રાખું છું. હું ધ્યેય તરફ આગળ વધું છું, જેના માટે ઈશ્વરે મને મસીહ ઈસુમાં સ્વગીઁય ઈનામને માટે બોલાવ્યો છે.
પાઉલના નમૂનાને અનુસરીને
તેથી, આપણામાં જેઓ પરીપકવ છે તેઓએ આજ દ્ગષ્ટિ રાખવી. અને જો કોઈ બાબતમાં અલગ રીતે વિચારો છો, તો ઈશ્વર તમને તે પણ સ્પષ્ટ કરે.
તેથી, જો કોઇ મસીહમાં છે, તો તે નવી ઉત્પતિ છે; જૂનું સઘળું જતું રહ્યું છે.
જીવંત આશા માટે ઈશ્વરની સ્તુતિ થાઓ
આપણા પ્રભુ ઈસુ મસીહના પિતા અને ઈશ્વરની સ્તુતિ થાઓ! તેમની અપાર દયાથી ઈસુ મસીહના મૃત્યુમાંથી પુનરુત્થાન દ્રારા આપણને જીવંત આશામાં નવો જન્મ આપ્યો છે,
અને આ બધા ઉપરાંત પ્રેમ પહેરો, જે સંપૂણઁતા એકતામાં બાંધે છે.
અને મસીહની શાંતિ કે જે પામવાં સારું તમને એક શરીરનાં અવયવો તરીકે તેડાયેલા છો, તે તમારા હ્રદયોમાં રાજ કરે. અને સર્વદા આભારસ્તુતિ કરો.
કેમકે તેઓએ તો થોડા સમય સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તેમ આપણને કેળવવા માટે શિક્ષા કરી, પરંતુ ઈશ્વરની શિક્ષા હંમેશા હિતકારક હોય છે. જેથી આપણે તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ. શિક્ષા થાય ત્યારે તરત આનંદકારક લાગતી નહિ પણ દુઃખદાયક લાગે છે, પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.
કાલ વિશે બડાઈ
હવે સાંભળો, તમે કહો છો, "આજે કે આવતીકાલે અમે અમુક શહેરમાં જઈશું, ત્યાં એક વર્ષ સુધી ધંધો કરીને પૈસા કમાણી કરીશું." તોપણ કાલે શું થવાનું છે એ તમે જાણતા નથી. તમારી જિંદગી શેનાં જેવી છે? તમે સવારનાં ધુમ્મસ જેવા છો. તે થોડીવાર દેખાય અને પછી અદ્રશ્ય થઈ જાય છે. પણ ઊલટું, તમારે એમ કહેવું જોઈએ, "જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતાં રહીશું અને આ અથવા પેલું કાર્ય કરીશું." આ રીતે તમે બડાઈ મારો છો અને એવી બડાઈ ખોટી છે. માટે જો કોઈ ભલું કરી જાણે છે, પણ કરતો નથી, તો તેને પાપ લાગે છે.