Domínio próprio
O domínio próprio é fruto do Espírito e marca de maturidade espiritual. A Bíblia ensina que quem governa o próprio espírito é melhor do que quem conquista uma cidade.
Fruto do Espírito
O fruto do Espírito inclui domínio próprio. A graça de Deus nos ensina a viver de maneira sóbria e justa neste mundo.
પણ આત્માનું ફળ: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ; એવાની વિરુધ્ધ કોઈ નિયમ નથી.
કારણ કે ઈશ્વરની કૃપા સર્વ લોકોનું તારણ કરે છે તે પ્રગટ થઇ છે. તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે અધમઁ તથા વિષય વાસનાથી દૂર જઈને હાલનાં જમાનામાં સંયમી, ન્યાયી અને ભકિતભાવ રાખીને વતઁવું; જયારે આપણે ધન્ય આશાની, એટલે કે આપણા મહાન ઈશ્વર અને આપણા તારનાર, ઈસુ મસીહના મહિમાનાં પ્રગટ થવાની રાહ જોઈએ.
કારણ કે ઈશ્વરે આપણને જે આત્મા આપ્યો છે તે આપણને ભયભીત કરતો નથી, પણ સામથ્યઁનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે.
એ જ કારણથી તમારાં વિશ્વાસની સાથે ભલાઈ; અને ભલાઇની સાથે જ્ઞાન; ઉમેરવાનો પ્રયત્ન કરો; ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધિરજ; ને ધિરજની સાથે ભકિતભાવ; અને ભકિતભાવની સાથે બંધુપ્રીતી; અને બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો.
Governar a si mesmo
Melhor é o que domina o seu espírito do que o que toma uma cidade. A cidade sem muros é o homem sem domínio próprio.
હરીફાઈમાં બધા હરીફો દોડે છે પણ પ્રથમ ઈનામ તો માત્ર એક જ જણને મળે છે તમે એવી રીતે દોડો કે તે ઈનામ તમને મળે. હરીફાઈમાં ભાગ લેનાર પ્રત્યેક ખેલાડી કડક શિસ્તનું પાલન કરે છે, વિનાશી ઈનામ મેળવવાં માટે તેઓ આ સર્વ કઠીનતાઓમાંથી પસાર થાય છે. પણ આપણે તો અવિનાશી સ્વર્ગીય ઈનામને માટે આમ કરીએ છીએ. તેથી તે ધ્યેયને લક્ષમાં રાખીને હું નિશાન તરફ દોડી રહ્યો છું. હું કેવળ હવામાં મુક્કાબાજી કરતો નથી. ના, હું મારા શરીરનું દમન કરું છું, તથા તેને વશ રાખું છું: રખેને બીજાને સુસમાચાર પ્રગટ કયાઁ છતાં કદાચ હું પોતે ઇનામને માટે નાપસંદ થાઊ.
પણ જો તમે સંયમ રાખી શકતા ન હો, તો તેઓ પરણે. બળવા કરતાં પરણવું વધારે સારું છે.
માણસ સહન ન કરી શકે એવું કંઇ પરીક્ષણ તમાંરા પર આવવાં દેશે નહિ; અને ઈશ્વર વિશ્વાસુ છે; તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માગઁ પણ રાખશે.
Disciplina e vigilância
Sede sóbrios e vigilantes. O diabo anda em derredor como leão rugidor. A sobriedade nos protege e fortalece.
સાવધ રહો, અને જાગતાં રહો. તમારો શત્રુ શેતાન ગર્જના કરતા સિંહની જેમ તે જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. તમે વિશ્વાસમાં દ્રઢ રહો અને તેની સામા થાવ કેમકે તમે જાણો છો કે પૃથ્વી પર વિશ્વાસીઓના પરીવારો પણ એવાં જ દુઃખોમાંથી પસાર થઈ રહ્યાં છે.
સવઁનો અંત નજીકમાં જ છે. તેથી જાગૃત રહીને સંયમી થઇને પ્રાર્થના કરો.
હવે મસીહે આપણા માટે પોતાના શરીરમાં દુઃખ સહન કયુઁ, તેમની માફક તમારે પણ સહન કરવા તૈયાર રહેવું, કારણ કે જેણે શરીરમાં દુઃખ સહન કયુઁ છે તે પાપથી મુકત થયો છે. એને પરિણામે, તેઓ બાકીનું પૃથ્વી પરનું જીવન મનુષ્યની ભૂંડી ઇચ્છાઓ પાછળ નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવામાં પસાર કરે છે. વિધર્મીઓ આનંદ માને છે, એવાં કાર્ય એટલે વ્યભિચાર, વાસના, મોજશોખ, છાકટાપણું અને ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં તમે જે સમય ગુમાવ્યો છે તે બસ છે. હવે આ બાબતોમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતાં નથી, તેથી તેઓ નવાઈ પામીને તમારી નિંદા કરે છે. પરંતુ જીવન તથા મૃત્યુ પામેલ સર્વનો ન્યાય કરનાર છે તેને તેઓએ હિસાબ આપવો પડશે.
અને તમારાંમાંના દરેકે પવિત્ર અને માનપૂર્વક પોતાના શરીરને કાબુમાં રાખવાનું શિખવું જોઈએ. જે મૂતિઁપૂજકો ઇશ્વરને નહિ જાણનારાં તેમની જેમ વિષયવાસનામાં ન જીવો;
O senhorio de Cristo
Todo domínio pertence a Cristo. Ele é Senhor dos senhores e Rei dos reis — e nos capacita a viver em santidade.
કારણ કે તેમણે આપણને અંધકારના રાજ્યમાંથી છોડાવીને તેમના પ્રિય પુત્રનાં રાજ્યમાં લાવ્યાં છે. તેમનામાં આપણને ઉધ્ધાર, એટલે પાપોની માફી છે.
જયારે તેમણે મસીહને મૂએલાંમાંથી સજીવન કર્યા, અને સ્વગીઁય સ્થાનોમાં પોતાને જમણે હાથે બેસાડયા, સવઁ શાસન, અધિકાર, પરાક્રમ, પ્રભુત્વ અને ફકત વતઁમાન યુગમાં જ નહિ, પણ આવનાર યુગમાં પણ જે નામ લેવામાં આવે છે તે સવઁથી ઉપર છે.
પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી આપણા તારનાર પ્રભુ ઈસુ મસીહની રાહ જોઈ રહ્યા છીએ. જે, જે સામથ્યઁથી સવઁને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણા વિનાશી શરીરોનું તે મહિમાવંત શરીરોમાં રૂપાંતર કરશે.જેથી તેઓ તેમના મહિમાવાન શરીર જેવા થાય.
કેમકે આપણે જાણીએ છીએ કે, મસીહ મરણમાંથી સજીવન થયા અને ફરી મરણ પામનાર નથી; મરણનો હવે તેમના પર કોઈ અધિકાર નથી.
જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.
પરંતુ જો, તમે, તમારાંમાં ઈશ્વરનો આત્મા વસે છે. તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઇને મસીહનો આત્મા નથી તે મસીહનો નથી.
કેમકે આદમ દ્રારા સવઁ મરણ પામ્યાં, તેથી મસીહ દ્રારા સવઁ સજીવન થશે. પણ દરેક પોતપોતાના ક્રમ પ્રમાણે: મસીહ, પ્રથમફળ; જ્યારે તે આવશે, જેઓ તેમના છે. જયારે તે ઈશ્વર પિતાને રાજ્ય હાથમાં સોંપી દેશે, પછી તે રાજય સત્તા તથા અધિકાર અને પરાક્રમનો નાશ કરશે, ત્યારે જ અંત આવશે. કેમકે જયાં સુધી પોતાના બધા શત્રુઓને પગ નીચે નહિ દાબે ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.