Encorajamento
O encorajamento é uma das vocações mais lindas do cristão. A Bíblia transborda de palavras de ânimo: não temas, levanta-te, Eu sou contigo. Deus nos encoraja para encorajarmos outros.
Não temas
Deus diz repetidamente: não temas, Eu sou contigo. Ele fortalece, sustenta e caminha ao nosso lado em cada desafio.
Deus está conosco
Se Deus é por nós, quem será contra nós? Tudo posso naquele que me fortalece. Ele nos encoraja pela sua presença.
અને જેઓને તેમણે અગાઉથી મુકરર કયાઁ, તેઓને તેમણે બોલાવ્યા પણ, જેમને તેમણે બોલાવ્યા તેમને ન્યાયી પણ ઠરાવ્યાં, જેમને ન્યાયી ઠેરવ્યા તેમને મહિમાવાન પણ કર્યા. તો આ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?
તમને મળેલો આત્મા તમને ગુલામ બનાવતો નથી, કે તમે ફરીથી ભયમાં રહો; પણ જે આત્મા તમે મેળવ્યો છે તે દતકપુત્રપણાંનો મળ્યો છે. અને આપણે તેમને "અબ્બા, પિતા, કહીને બોલાવીએ છીએ!"
આપણામાંના દરેકે આપણા પાડોશીઓના ભલા માટે, તેમની ઉન્નતિને અર્થે ખુશ કરવા જોઈએ.
ધીરજ અને દિલાસો આપનાર ઈશ્વરની જેમ એકબીજા પ્રત્યે તમે મસીહ ઈસુના જેવું વલણ રાખો.
તમને મળવાને હું ઘણો ઉત્સુક છું, એ માટે કે હું તમને વિશ્વાસમાં દ્રઢ કરી કોઈક આત્મિક દાન પમાડી શકું. એટલે કે તમને અને મને એક બીજાના વિશ્વાસથી પરસ્પર ઉત્તેજન મળે.
જે મને સામર્થ્ય આપે છે, તેનાથી સઘળું હું કરી શકું છું.
મને ખાતરી છે કે જેણે તમારાંમાં જે શુભ કાર્યની શરૂઆત કરેલી છે તેને પ્રભુ મસીહ ઈસુના દિવસ સુધી પૂર્ણ કરતા રહેશે.
તેથી, જો કોઇ મસીહમાં છે, તો તે નવી ઉત્પતિ છે; જૂનું સઘળું જતું રહ્યું છે.
તેથી અમે નાહિંમત થતા નથી. જો કે અમારા બાહ્ય શરીરો નાશ પામતાં જાય છે પણ અમારું આંતરિક જીવન દરરોજ વૃધ્ધિ પામતું જાય છે.
અમારા પર આવી પડતાં સંકટો અમારે સારું વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે.
પણ આ ખજાનો અમારા નિર્બળ શરીરરૂપી નાશવંત પાત્રોમાં રાખી મૂકવામાં આવેલો છે. તેથી પરાક્રમની અધિકતા ઈશ્વરથી છે અને અમારાંથી નથી એ જાણવાંમાં આવે. ચારેબાજુ ઘેરાયેલા હોવા છતાં પણ, અમે દબાઈ ગયા નથી; મૂંઝાયેલા હોવા છતાં અમે નિરાશ થયેલાં નથી; સતાવણી પામ્યા છતાં, તજાયેલા નથી; નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી; ઈસુનું મરણ અમે અમારા શરીરોમાં સદા ઊંચકીને ફરીએ છીએ, તેથી મસીહનું જીવન અમારામાં પ્રગટ થાય છે. કેમકે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુના જીવનને પણ અમારા મત્યઁ શરીરમાં પ્રગટ કરવામાં આવે.
તેથી આપણે જાણીએ છીએ કે પ્રભુનો ભય શું છે, અમે બીજાઓને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે જે છીએ તે ઈશ્વરની આગળ સ્પષ્ટ છે અને અમારા અંતઃકરણો પણ સ્પષ્ટ હશે એવી હું આશા રાખું છું. અમે ફરીથી અમારી ખુશામત કરવાનો પ્રયત્ન કરતા નથી, પણ અમારામાં તમને અભિમાન કરવાની તક આપીએ છીએ, તેથી તમે એવા લોકોને જવાબ આપી શકો જેઓ હ્રદયમાં જે છે તેના કરતાં દેખીતી બાબતો પર અભિમાન કરે છે. તો શું અમે ઘેલાં છીએ? જો એમ હોય તો પ્રભુની ખાતર છે. જો અમે સ્વસ્થ છીએ? તો તે તમારાં માટે છે. કેમકે મસીહનો પ્રેમ અમને ફરજ પાડે છે, કારણ કે આપણે ખાતરી કરીએ છીએ કે એક બધાંને માટે મૃત્યું પામ્યા, તેથી બધા મૃત્યું પામ્યા. અને તે બધા માટે મૃત્યું પામ્યા, જેથી જેઓ જીવે છે તેઓ હવેથી પોતાના માટે નહિ, પણ જે તેમના માટે મૃત્યું પામ્યા અને ફરી સજીવન થયાં તેમના માટે જીવે.
તો હવેથી અમે તેથી જગતના અભિપ્રાયને આધારે અમે કોઈનું મૂલ્યાંકન કરતા નથી. ભલે આપણે મસીહને એક સમયે આ રીતે માનતા હતાં, પણ હવેથી એમ કરતા નથી. તેથી, જો કોઇ મસીહમાં છે, તો તે નવી ઉત્પતિ છે; જૂનું સઘળું જતું રહ્યું છે. આ સર્વ ઈશ્વર તરફથી છે, જેમણે મસીહ દ્રારા આપણું સમાધાન કરાવ્યું અને સમાધાન કરવાની સેવા અમને સોંપી. ઈશ્વર મસીહમાં પોતાની સાથે દુનિયા સાથે પોતાનું સમાધાન કરાવીને લોકોના પાપો તેમનાં લેખે ગણતાં નથી. અને તેમણે અમને સમાધાનનો સંદેશો સોંપ્યો છે. એ માટે અમે મસીહનાં એલચી છીએ. જાણે કે ઈશ્વર અમારા દ્રારા વિનંતી કરતાં હોય. અમે મસીહ તરફથી તમને વિનંતી કરીએ છીએ કે, ઈશ્વરની સાથે સમાધાન કરો. આપણે તેનામાં ઇશ્વરનાં ન્યાયીપણારૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું ન હતું તેને તેમણે આપણે માટે પાપરૂપ કયાઁ.
કેમકે જો ઈચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.
આપણા ઈશ્વર કેવાં મહાન છે! તે આપણા પ્રભુ ઈસુ મસીહના પિતાની સ્તુતી થાવ, જે કરુણાનો પિતા તથા સવઁ દિલાસાનો ઈશ્વર. જે આપણને સવઁ સંકટમાં દિલાસો આપે છે, જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, તે વડે તેઓ ગમે તેવી વિપતીમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શકિતમાન થઈએ.
Ânimo nas lutas
No mundo tereis aflições, mas tende bom ânimo — Eu venci o mundo. O Senhor é refúgio seguro em toda tribulação.
"મે તમને આ સઘળું કહ્યું છે જેથી મારાંમાં તમને શાંતિ મળે, આ જગતમાં તમને સંકટ છે. પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે."
"મે તમને આ સઘળું કહ્યું છે જેથી મારાંમાં તમને શાંતિ મળે, આ જગતમાં તમને સંકટ છે. પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે."
હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હ્રદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો.
હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હ્રદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો.
પ્રેમમાં બીક નથી. પણ સંપૂર્ણ પ્રેમ બીકને દૂર કરે છે, કેમકે બીકને શિક્ષા સાથે સંબંધ છે. અને જે બીક રાખે છે તે પ્રેમમાં સંપૂણઁ થયો નથી.
Promessas de conforto
Vinde a mim os cansados e sobrecarregados. Lança sobre Ele tuas ansiedades, pois Ele cuida de ti.
"ઓ પરિશ્રમ કરનારાંઓ તથા ભારથી દબાયલાઓ, તમે સર્વ મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ.
જેઓ શરીરનો નાશ કરી શકે છે પણ આત્માને કાંઈ કરી શકતા નથી, તેઓથી ડરો નહિ. એના કરતા તમારાં આત્મા અને દેહ બંનેનો નરકમાં જે નાશ કરી શકે છે તેનાથી બીહો.
તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમકે તે તમારી સંભાળ લે છે.
એમાં તમે આનંદ કરો છો, જો કે થોડા સમય માટે તમને દરેક પ્રકારની કસોટીઓમાં દુઃખ સહન કરવું પડ્યું હોય.
જો તમે ભલું કરવા આતુર હશો, તો કોણ તમને નુકશાન કરશે? પણ જો તમારે ન્યાયીપણાને કારણે દુઃખ સહન કરવું પડે, તો તમને ધન્ય છે, "તેઓની ધમકીથી ડરશો નહિ; ગભરાશો નહિ"
Encorajar uns aos outros
Encorajai-vos mutuamente e edificai-vos uns aos outros. Não desanimemos — a bondade do Senhor é nova a cada manhã.
તેથી તમે હમણાં કરો છો તેમજ એકબીજાને ઉત્તેજન આપવાનું અને વૃધ્ધિ પામવાનું ચાલુ રાખો.
તેથી તમે હમણાં કરો છો તેમજ એકબીજાને ઉત્તેજન આપવાનું અને વૃધ્ધિ પામવાનું ચાલુ રાખો.
અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા પરસ્પર ઉતેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સંગતમાં આવવાનું પડતું ના મૂકીએ, પરંતુ એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તે દિવસ પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.
દ્રવ્યલોભથી દૂર રહો; અને તમારી પાસે છે તેમાં સંતોષ માનો. કેમકે ઈશ્વરે કહ્યું છે કે,
"હું તને કદી છોડીશ નહિ. હું તને કદી તજીશ નહિ"
તો આપણે ખાતરીપૂવઁક કહી શકીએ છીએ કે,
"પ્રભુ મારો સહાયક છે; હું ડરીશ નહિ.
માણસ મને શું કરનાર છે?"
એ માટે મારા પ્રિય ભાઈઓ અને બહેનો, સ્થિર અને સમર્થ બનો. પ્રભુનું કામમાં સદા લાગુ રહો, કારણ કે તમારી મહેનત પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.
સાવધ રહો; વિશ્વાસમાં દ્રઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ.
સાવધ રહો; વિશ્વાસમાં દ્રઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ.
કારણ કે ઈશ્વરે આપણને જે આત્મા આપ્યો છે તે આપણને ભયભીત કરતો નથી, પણ સામથ્યઁનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે.
ઈસુએ કહ્યું, "આવો, મારી પાછળ ચાલો, હું તમને માણસોનાં પકડનારા બનાવીશ." તરત પોતાની જાળો મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યાં.
Deus chama pelo nome
Ao longo da Bíblia, Deus chamou seus servos pelo nome — Abraão, Moisés, Samuel, Paulo — encorajando cada um pessoalmente.
હવે દમાસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, "અનાન્યા!"
તેણે જવાબ આપ્યો, "હા પ્રભુ!"
મરિયમ જવાબ આપ્યો, "હું પ્રભુની દાસી છું, તમારા વચન પ્રમાણે મને પૂર્ણ થાઓ." પછી દૂત જતો રહયો.
શું પાંચ ચકલીઓ બે પૈસે વેચાતી નથી? છતાં એમાંની એક પણ ઈશ્વરથી ભૂલાયેલી નથી. ખરેખર, તમારાં માથાનાં દરેક વાળ પણ ગણેલાં છે, બીશો નહિ, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.