Jesus Cristo
Jesus Cristo é o centro de toda a Escritura — Deus encarnado, Salvador do mundo, Senhor dos senhores. Nele habita corporalmente toda a plenitude da divindade.
A divindade de Cristo
No princípio era o Verbo, e o Verbo estava com Deus, e o Verbo era Deus. Jesus é Deus revelado em carne humana.
આરંભમાં શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સાથે હતો, અને શબ્દ ઈશ્વર હતો.
આરંભમાં શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સાથે હતો, અને શબ્દ ઈશ્વર હતો. આરંભથી જ તે ઈશ્વરની સાથે હતા. તેમનાંથી સઘળું બનાવવામાં આવ્યું, જે કંઇ થયું છે તે તેમના વિના બનાવવામાં આવ્યું નહિ.
શબ્દ સદેહ થઇને આપણામાં વસ્યાં, અમે તેમનો મહિમા જોયો, એક માત્ર પુત્રનો મહિમા જે પિતા તરફથી આવ્યો છે, તે કૃપા અને સત્યથી ભરપૂર.
કેમકે મસીહમાં દેવત્વની સંપૂર્ણતા રહેલી છે.
કેમકે મસીહમાં દેવત્વની સંપૂર્ણતા રહેલી છે. અને મસીહમાં તમે સર્વસંપન્ન છો. તેઓ સર્વોચ્ચ અધિકારી તથા સત્તાઓ તેમની હકૂમત હેઠળ છે.
એકબીજા સાથેના તમારા સબંધોમાં મસીહ ઈસુનાં જેવું મન રાખો:
જે પોતે ઈશ્વર હોવા છતાં,
તેમણે ઈશ્વર સાથે સમાનતાને પોતાના લાભ માટે ઉપયોગમાં લેવા ઇચ્છયું નહિ;
તેના બદલે તેમણે પોતાને ખાલી કર્યા,
તેમણે દાસનું રૂપ ધારણ કયુઁ,
અને તેઓ માણસની સમાનતામા આવ્યા,
એકબીજા સાથેના તમારા સબંધોમાં મસીહ ઈસુનાં જેવું મન રાખો:
Jesus, o Filho de Deus
Tu és o Cristo, o Filho do Deus vivo! Jesus revelou o Pai e demonstrou sua autoridade divina por palavras e obras.
પછી તેમણે તેઓને પૂછયું, "પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો?"
સિમોન પિતરે જવાબ આપ્યો, "તમે મસીહ, જીવંત ઈશ્વરના પુત્ર છો."
ઈસુએ જવાબ આપ્યો, "સિમોન યોનાના પુત્ર, તને ધન્ય છે! કેમકે એ તને માંસે તથા લોહીએ જણાવ્યું નથી, પણ સ્વર્ગમાંના મારા પિતાએ.
"જુઓ કુમારિકા સગર્ભા થશે, ને પુત્રને જનમ આપશે અને તેઓ તેને ઈમ્માનુએલ કહેશે." (એટલે "ઈશ્વર આપણી સાથે છે.")
જયારે સુબેદાર અને તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ અને જે કંઇ બન્યું હતું તે જોયું, ત્યારે તેઓ ગભરાય ગયાં અને કહ્યું, "સાચે જ એ ઈશ્વરપુત્ર હતા!"
પણ ઈસુ શાંત રહ્યા ને કાંઈ જ જવાબ ન આપ્યો.
ફરી પ્રમુખ યાજકે તેમને પૂછયું, "શું તું મસીહ, સ્તુતિમાનનો પુત્ર છે?"
ઈસુએ કહ્યું, "હું છું, મને માણસનાં દીકરાને પરાક્રમનાં જમણા હાથે બિરાજેલો તથા આકાશના વાદળો પર આવતો નિહાળશો."
તેણે કહ્યું, "અચરત ન થાવ, ક્રૂસે જડાયેલાં નાઝરેથના ઈસુને તમે શોધો છો; તે સજીવન થયા છે; તે અહીં નથી, તે જગા જુઓ, જયાં તેમને મૂક્યાં હતા
જયારે બધા લોકો બાપ્તિસ્મા લઇ રહયાં હતા, ત્યારે ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યા. અને તેઓ પ્રાર્થના કરતા હતા, ત્યારે આકાશ ઊઘડી ગયું. અને પવિત્ર આત્મા કબૂતરની જેમ શારીરિક રૂપમાં તેમના પર ઊતર્યો અને આકાશથી વાણી થઈ: "તું મારો પુત્ર છે. જેને હું પ્રેમ કરું છું; તારા પર હું પ્રસન્ન છું."
Eu Sou
Jesus disse: antes que Abraão existisse, Eu Sou. Ele se identificou com o nome divino revelado a Moisés na sarça ardente.
ઈસુએ જવાબ આપ્યો, હું સાચે જ તમને કહું છું કે, "અબ્રાહમનો જન્મ થયો તે પહેલાંનો હું છું."
હું અને પિતા એક છીએ."
ઈસુએ તેમના બચાવમાં કહ્યું, "મારા પિતા અત્યાર સુધી હંમેશા તેમના કાયોઁ કરે છે અને હું પણ કાયઁ કરું છું." એ માટે તેમને મારી નાખવા વધારે પ્રયત્ન કયોઁ. કેમકે તેમણે સાબ્બાથ ભંગ કર્યા હતો એટલું જ નહિ પણ તેઓ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન ગણે છે.
એ માટે તેમને મારી નાખવા વધારે પ્રયત્ન કયોઁ. કેમકે તેમણે સાબ્બાથ ભંગ કર્યા હતો એટલું જ નહિ પણ તેઓ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન ગણે છે.
કેમકે જેમ પિતા મૂએલાઓને ઊઠાડીને તેમને જીવન આપે છે, તેમજ પુત્ર પણ ચાહે તેમને જીવન આપે છે. વળી પિતા કોઇનો ન્યાય કરતા નથી પણ ન્યાય ચુકવવાનું સઘળું પુત્રને સોંપ્યું છે. જેથી દરેક જણ જેમ પિતાને તેમ પુત્રને પણ માન આપે, જે પુત્રને માન નથી આપતાં, તો તેને મોકલનાર પિતાને પણ માન નથી આપતાં.
હું તમને સાચે જ કહું છું કે: એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂકયો છે, કે જયારે મૂએલાંઓ ઈશ્વર પુત્રની વાણી સાંભળશે, અને જેઓ સાંભળશે તેઓ સજીવન થશે.
O Salvador e Senhor
Jesus é o caminho, a verdade e a vida. Não há outro nome dado entre os homens pelo qual devamos ser salvos.
ઈસુએ જવાબ આપ્યો કે, "હું માર્ગ, સત્ય તથા જીવન છું, મારા વિના પિતા પાસે કોઈ આવતું નથી.
ઈસુએ જવાબ આપ્યો, "ફિલિપ! આટલા લાંબા સમય સુધી હું, તમારી મધ્યે રહ્યો છતાં હજી સુધી તું જાણતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે, પછી તું કેમ કહે છે કે, અમને પિતા બતાવો?" શું તને વિશ્વાસ નથી કે હું પિતામાં છું અને પિતા મારાંમાં છે? જે વચનો હું તમને કહું છું, તે મારાંં પોતાનાં અધિકારથી નથી કહેતો, તેના બદલે પિતા મારામાં રહે છે, કે જે પોતાનાં કાર્ય કરે છે.
ઈસુએ તેને કહ્યું, "પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે.
ત્યારે ઈસુએ કહ્યું, "જો તું વિશ્વાસ કરશે તો તું ઈશ્વરનો મહિમા જોશે એવું મેં શું તને નથી કહ્યું?"
બીજા કોઇથી તારણ નથી, કેમકે જેથી આપણું તારણ થાય એવું બિજું કોઇ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી."
તેઓ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક જળાશય આવ્યું અને ખોજાએ કહ્યું, "જો, અહીં પાણી છે! તો મને બાપ્તિસ્માથી કોણ રોકી શકે?" ફિલિપે કહ્યું, "જો તું તારા સંપૂર્ણ હૃદયથી વિશ્વાસ કરે છે તો તે જરૂર થઈ શકે." ખોજાએ જવાબ આપ્યો, "હું વિશ્વાસ કરું છું કે ઈસુ મસીહ એ જ ઈશ્વરપુત્ર છે." પછી તેણે રથ ઊભો રાખવાનો આદેશ કયોઁ. તેઓ બંને ફિલિપ અને ખોજો નીચે પાણીમાં ઊતર્યા અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.
A supremacia de Cristo
Ele é o resplendor da glória de Deus e a expressão exata do seu ser. Toda a plenitude habita nele e por Ele tudo subsiste.
પુત્ર ઈશ્વરના મહિમાનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી નિભાવી રાખે છે; તેઓ પાપોનું પ્રાયશ્ચિત કરીને તેઓ સ્વર્ગમાં મહિમાની જમણી બાજુએ બિરાજમાન છે. તેથી, તેમને જે નામ વારસામાં મળ્યું છે તેટલે દરજ્જે તેઓને દૂતો કરતાં અત્યંત ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે.
તેથી, આપણી પાસે એક મહાન યાજક છે. જે સ્વર્ગમાં ગયેલાં છે, એટલે ઈશ્વરના પુત્ર ઈસુ મસીહ, માટે આપણે જે વિશ્વાસનો દાવો કરીએ છીએ તે દ્રઢતાથી પકડી રાખીએ. કેમકે આપણી પાસે એવો પ્રમુખયાજક નથી જે આપણી નિર્બળતાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવી ન શકે, પણ આપણી જેમ દરેક પ્રકારે પરીક્ષણો પામેલા છતાં તેઓ નિષ્પાપ રહ્યા.
વળી આપણા આગેવાન તથા માર્ગદર્શક ઈસુ તરફ દ્રષ્ટિ રાખીએ, પોતાની આગળ મળનાર આનંદને લીધે, શરમને તુચ્છ ગણીને, ક્રૂસ પર શરમજનક મરણ સહન કયુઁ, અને ઈશ્વરપિતાના રાજ્યાસનની જમણી બાજુમાં બિરાજમાન છે.
તેથી તેમને સઘળી બાબતોમાં પોતાનાં ભાઈઓના જેવા થવું જોઇતું હતું, જેથી તેઓ લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઇશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.
Confessar a Cristo
Todo aquele que confessa que Jesus é o Filho de Deus, Deus permanece nele e ele em Deus. A fé em Cristo é a vitória.
ઈસુ ઈશ્વરપુત્ર છે. એવો વિશ્વાસ જે કરે છે, ઈશ્વર તેમનામાં રહે છે અને તેઓ ઈશ્વરમાં રહે છે.
ઈસુ ઈશ્વરપુત્ર છે. એવો વિશ્વાસ જે કરે છે, ઈશ્વર તેમનામાં રહે છે અને તેઓ ઈશ્વરમાં રહે છે.
ઈશ્વરે આ પ્રમાણે એમનો પ્રેમ પ્રગટ કયોઁ છે! તેમણે પોતાના એકનાએક દીકરાને આ જગતમાં મોકલ્યા, તેથી તેમનાથી આપણે જીવીએ. આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો એ નહિ પણ આપણા પાપોનું પ્રાયશ્ચિતના બલિદાન થવા માટે તેમણે પોતાના પુત્રને આપણા માટે મોકલ્યા એ સાચો પ્રેમ છે.
ઈશ્વરે આ પ્રમાણે એમનો પ્રેમ પ્રગટ કયોઁ છે! તેમણે પોતાના એકનાએક દીકરાને આ જગતમાં મોકલ્યા, તેથી તેમનાથી આપણે જીવીએ.
જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમકે શેતાન આરંભથી પાપ કર્યા કરે છે. પરંતુ શેતાનનાં કામોનો નાશ કરવા માટે જ ઈશ્વરના પુત્ર પ્રગટ થયા.
કોણ આ જગત પર વિજય પામી શકે? ઈસુ એ જ ઈશ્વરના પુત્ર છે એવું જે માને છે તે જ.
અને સાક્ષી આ છે: ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું, અને આ જીવન તેમના પુત્રમાં છે. જેની પાસે પુત્ર છે તેમને જીવન છે, અને જેની પાસે ઈશ્વરનો પુત્ર નથી તેને જીવન નથી.
જો તમે તમારાંં મોં થી કબૂલ કરો કે "ઈસુ પ્રભુ છે," અને તમારાંં હૃદયમાં વિશ્વાસ કરો કે પ્રભુએ તેમને મરણમાંથી સજીવન કર્યા છે, તો તમે તારણ પામશો,
Viver em Cristo
Já não sou eu quem vive, mas Cristo vive em mim. Ele supre toda necessidade, dá paz e reina como Senhor.
હું મસીહની સાથે વધસ્તંભે જડાયો છું. અને હું જીવતો નથી, પણ મારામાં મસીહ જીવે છે. હવે હું શરીરમાં જે જીવન છે તે તો ઈશ્વરપુત્ર પરના મારા વિશ્વાસથી છે, જેણે મારા પર પ્રેમ કર્યો અને પોતાનું સ્વાપણઁ કર્યુ.
અને મારા ઈશ્વર મસીહ ઈસુમાં પોતાના મહિમાની સંપતી પ્રમાણે તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે.
અને મસીહની શાંતિ કે જે પામવાં સારું તમને એક શરીરનાં અવયવો તરીકે તેડાયેલા છો, તે તમારા હ્રદયોમાં રાજ કરે. અને સર્વદા આભારસ્તુતિ કરો.
કેમકે આપણે તેની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને મસીહ ઈસુમાં આપણને ઉત્પન્ન કર્યા છે, તે સારી કરણીઓ વિશે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.
અને પ્રેમના માગઁમાં ચાલો, જેમ મસીહે તમારા પર પ્રેમ રાખ્યો, અને ઈશ્વરની સમક્ષ સુવાસને અથેઁ આપણા માટે સ્વાપઁણ કરીને પોતાનું બલિદાન આપ્યું.
જેમ આપણે દરેકને એક શરીર છે અને તેના અનેક અવયવો છે અને આ બધા અવયવનું કાર્ય એક સરખું નથી; તેથી મસીહમાં આપણે, ઘણા હોવા છતાં એક શરીર છીએ, અને દરેક અંગ બીજા બધાનાં છે.
પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ મસીહ દ્વારા આપણને વિજય આપે છે તેમને ધન્યવાદ.
પણ મસીહને તમારા હ્રદયોમાં પવિત્ર માનો; અને જે આશા તમારી પાસે છે તેનો ખુલાસો માંગે તો તેને નમ્રતાથી અને આદરસહિત જવાબ આપવાં સદા તત્પર રહો.
કેમકે એક જ ઈશ્વર છે અને ઈશ્વર અને માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ છે, એટલે મસીહ ઈસુ પોતે માણસ,
O Rei eterno
O Rei dos reis voltará em glória e majestade. Todo joelho se dobrará e toda língua confessará que Jesus Cristo é o Senhor.
પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું અને ત્યાં મારી આગળ સફેદ ઘોડો જોયો, જેનો સવાર વિશ્વાસુ તથા સત્ય કહેવાય છે. તે પ્રામાણિકપણે ન્યાય અને લડાઈ કરે છે. તેમની આંખો અગ્નિની જવાળા જેવી છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે, અને તેમના પર એવું નામ લખેલું છે કે જે તેમના પોતાના સિવાય બીજું કોઈ જાણતું નથી. તેમણે રકતમાં બોળેલો ઝભ્ભો પહેરેલો છે, અને તેમનું નામ ઈશ્વરનો શબ્દ છે. તેમની પાછળ સ્વર્ગમાંનાં સૈન્યો શણના બારીક, શ્વેત અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને શ્વેત ઘોડા પર સવાર થઈને તેમની પાછળ પાછળ ચાલ્યા. તેમના મોંમાથી તીક્ષ્ણ તરવાર નીકળે છે જેનાથી તે વિદેશીઓને મારે. "તે લોખંડના દંડથી તેઓના પર રાજ્ય કરશે." અને સર્વશકિતમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષાકુંડ ખૂંદે છે. તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર આ નામ લખેલું છે:
રાજાઓનાં રાજા તથા પ્રભુઓના પ્રભુ.
પ્રભુ ઈસુની કૃપા ઇશ્વરના લોકોની સાથે હો. આમીન.
પછી તેમણે થોમાને કહ્યું, "તારી આંગળી અહીં નાંખ અને મારા હાથ જો, તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ; સંદેહ ન રાખ, અને વિશ્વાસ કર."
થોમાએ તેમને કહ્યું, "મારા પ્રભુ! અને મારા ઈશ્વર!"
ઈસુએ પોતાના શિષ્યોની હાજરીમાં બીજા ઘણાં ચમત્કારો કયાઁ, જે આ પુસ્તકમાં નોંધેલા નથી. પણ આ એટલા માટે લખવામાં આવ્યું છે કે, ઈસુ તે જ મસીહ, ઈશ્વરપુત્ર છે એવો વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો.
મારી આજ્ઞાઓ આ છે: કે જેમ મેં તમારાં પર પ્રેમ કર્યો, તેમ તમે એકબીજા પર પ્રેમ કરો.
હું તમને સાચે જ કહું છું, જે કોઈને હું મોકલું છું તેનો સ્વીકાર કરે છે તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે."
હું તેઓને અનંતજીવન આપું છું, અને તેઓ કદી નાશ પામશે નહિ; મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ. મારા પિતા જેમણે મને તેઓને આપ્યા છે, તે બધા કરતા મોટા છે; મારા પિતાનાં હાથમાંથી તેઓને કોઈ છીનવી લઈ શકશે નહિ. હું અને પિતા એક છીએ."
કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. જગતને દોષિત ઠરાવવા માટે નહિ પણ તેમનાથી જગતનો ઉધ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યા. જે કોઈ તેમના પર વિશ્વાસ કરતો નથી તે દોષિત ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે દોષિત ઠરી ચૂક્યો છે. કેમકે ઇશ્વરના એકાંકીજનીત દીકરાનાં નામ પર તેણે વિશ્વાસ કયોઁ નહિ.
જે કોઈ પોતાનો ક્રૂસ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તો તે મારે યોગ્ય નથી.
કારણ કે જયાં મારા નામે બે કે ત્રણ એકત્ર થયા હોય, ત્યાં હું તેઓની સાથે છું."
ઈસુએ તેઓ તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, "માણસને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નહિ, ઈશ્વરને સર્વ શકય છે."
ઈસુએ જવાબ આપ્યો, "માણસો માટે જે અશક્ય છે, તે ઈશ્વર માટે શકય છે."
પ્રભુ ઈસુ મસીહની કૃપા તમારાં આત્માની સાથે હો.