Publicidade

Juízo

Por Bíblia Online

O juízo de Deus é manifestação de sua justiça e soberania. Ele julga o mundo, julga as nações e julga cada coração com perfeita equidade e misericórdia.

O juízo de Deus

Deus é juiz justo que prova os corações. Seu juízo é verdadeiro e alcança toda obra, secreta ou pública.

કેમકે જેમ પિતા મૂએલાઓને ઊઠાડીને તેમને જીવન આપે છે, તેમજ પુત્ર પણ ચાહે તેમને જીવન આપે છે. વળી પિતા કોઇનો ન્યાય કરતા નથી પણ ન્યાય ચુકવવાનું સઘળું પુત્રને સોંપ્યું છે. જેથી દરેક જણ જેમ પિતાને તેમ પુત્રને પણ માન આપે, જે પુત્રને માન નથી આપતાં, તો તેને મોકલનાર પિતાને પણ માન નથી આપતાં.

"હું તમને સાચે જ કહું છું કે: જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; અને તે અપરાધી નહિ ઠરશે, પણ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશે છે. હું તમને સાચે જ કહું છું કે: એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂકયો છે, કે જયારે મૂએલાંઓ ઈશ્વર પુત્રની વાણી સાંભળશે, અને જેઓ સાંભળશે તેઓ સજીવન થશે. કેમકે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ પુત્રને પણ પોતાનામાં જીવન આપ્યું છે. અને તેણે તેમને ન્યાય કરવાનો અધિકાર પણ આપ્યો, કેમકે તે માણસનો દીકરો છે.

"તેથી તમે આશ્ચર્ય પામશો નહિ, કેમકે એવો સમય આવે છે કે, જયારે જેઓ તેમની કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે. અને જેઓએ સારાં કામ કર્યા છે તેઓ જીવન માટે ઉઠશે, અને જેઓએ ભૂંડા કામ કયાઁ છે, તેઓ સજા પામવાં માટે ઊઠશે. હું મારી મેળે કશું કરી શકતો નથી, હું જે સાંભળું છું તે પ્રમાણે ન્યાય કરું છું, ને મારો ન્યાય યથાર્થ છે, કેમકે હું પોતાની જાતને નહિ, પણ જેણે મને મોકલ્યો છે તેને ખુશ કરવાને ચાહું છું.

ઈસુ વિશેની સાક્ષી

"જો હું મારા વિશે સાક્ષી આપું તો મારી સાક્ષી સાચી નથી.

પણ હું તમને સાચે જ કહું છું કે મારું જવું તે તમારાં હિતમાં છે જયાં સુધી હું નહિ જાઉં, ત્યાં સુધી સહાયક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જઉ તો તેને હું તમારી પાસે મોકલી દઈશ. જયારે તે આવશે, ત્યારે તે જગતને તેના પાપ વિશે, ન્યાયપણા અને ન્યાયચુકાદા વિશે ખાતરી કરાવશે. પાપ વિશે, કેમકે લોકો મારાંમાં વિશ્વાસ કરતાં નથી;

ઈસુએ કહ્યું, "એ વાણી તમારે માટે હતી, મારા માટે નહિ. હવે આ જગત પર ન્યાયનો સમય આવી ચૂકયો છે. હવે આ જગતના રાજાને કાઢી નાંખવામાં આવશે. અને મને, જયારે પૃથ્વી પર ઊંચો કરવામાં આવશે, ત્યારે હું બધાં લોકોને મારી તરફ ખેંચીશ."

ત્યારે તે માણસે કહ્યું, "પ્રભુ, હું વિશ્વાસ કરું છું," અને તેણે તેમનું ભજન કર્યું.

ઈસુએ કહ્યું, "ન્યાયને માટે હું જગતમાં આવ્યો છું, જેથી આંધળા જુએ અને જેઓ જુએ તેઓ આંધળા થાય."

Prestando contas

Cada um prestará contas de si mesmo a Deus. O juízo começa pela casa de Deus e depois alcança os que não obedecem ao evangelho.

નબળો અને શસક્ત

જેનો વિશ્વાસ નબળો છે તેનો સ્વીકાર કરો, વિવાદાસ્પદ બાબતો પર તકરાર કર્યા વિના. એક વ્યકિતનો વિશ્વાસ બધું ખાવાની પરવાનગી આપે છે, પણ બીજો, જેનો વિશ્વાસ નબળો છે તે ફક્ત શાકભાજી ખાય છે. જે બધું જ ખાય છે તેઓએ નહિ ખાનારાને તુચ્છ ન ગણવાં અને જેઓ નથી ખાતાં તેમણે ખાનારનો ન્યાય ન કરવો, કારણ કે ઈશ્વરે તેઓને સ્વીકાર્યા છે. તું કોણ છે કે બીજાનાં નોકરનો ન્યાય કરે? નોકરનું ઊભા રહેવું કે પડવું તે તેના માલીકના હાથમાં છે અને તે સ્થિર રહેશે, કેમકે પ્રભુ તેમને ઉભા રાખવાને સમથઁ છે.

હા, આપણ પ્રત્યેકે ઈશ્વર સમક્ષ પોતાનો હિસાબ આપવો પડશે.

તેથી હવે પછી આપણે એકબીજાનો ન્યાય ન કરીએ. પણ તેના કરતાં કોઇએ પોતાના ભાઈ કે બહેનના માગઁમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ એવું નક્કિ કરીએ. હું જાણું છું, પ્રભુ ઈસુમાં ખાતરીપૂર્વક માનું છું કે કોઈ વસ્તુ પોતે અશુધ્ધ નથી. પરંતુ જો કોઈ વ્યકિત તેને અશુધ્ધ માને છે તો તે તેને માટે અશુધ્ધ છે.

કેમકે ન્યાયચુકાદાનો આરંભ ઇશ્વરનાં કુટુંબથી થયો છે; અને તેની શરૂઆત આપણાંથી થઇ તો, જેઓ પ્રભુના સુસમાચાર નથી સ્વીકારતાં તેઓનું ભાવિ કેવું હશે!

તેથી સમય પહેલાં એટલે કે પ્રભુનું પુનરાગમન થાય તે પહેલાં કોઈનો ન્યાય ન કરો; કેમકે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને પ્રકાશમાં લાવશે અને હૃદયની ધારણાઓ બહાર પાડશે. તે સમયે ઈશ્વર તરફથી દરેક વ્યક્તિ પોતાની પ્રશંસા પામશે.

કેમકે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તમને પણ દોષિત ઠરાવશે; જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.

"શા માટે તમારા ભાઈની આંખમાંના તણખલાને જુઓ છો અને પોતાની આંખમાંનો ભારોટિયો જોતાં નથી? તમે તમારા ભાઈને એમ કેમ કહી શકો કે, ‘તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે,’ જયારે તારી પોતાની આંખમાં હંમેશા ભારોટિયો છે?

Justiça e redenção

O juízo de Deus é também redenção. Ele livrou Israel do Egito com juízos e salva os arrependidos pela cruz de Cristo.

બેબિલોનના પતન પર ત્રણ ગણું હાલેલુયા

એ પછી સ્વર્ગમાં મોટા લોકોના જનસમુદાયની મોટી વાણી સંભળાઈ:

"હાલેલુયા!

તારણ અને મહિમા અને પરાક્રમ આપણા ઈશ્વરના છે,

કેમકે તેમના ન્યાયચુકાદા યોગ્ય તથા સત્ય છે,

તેમણે તે મહાન વેશ્યાને દોષિત ઠેરવી છે,

જેણે પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી.

તેમણે તેની પાસેથી પોતાના સેવકોના લોહીનો બદલો લીધો છે."

તેઓએ ફરીથી પોકારીને કહ્યું:

"હાલેલુયા!

તેનો ધુમાડો સદાસવઁકાળ ઉપર ચઢે છે."

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-22_10-02-25-