Morte
A morte é a realidade que todos enfrentam, mas para o cristão ela não é o fim. A Bíblia ensina que Cristo venceu a morte e nos dá a esperança da ressurreição e da vida eterna.
Cristo venceu a morte
Onde está, ó morte, o teu aguilhão? Cristo destruiu o poder da morte e nos deu a vitória pela ressurreição.
"ઓ મરણ, તારો વિજય કયાં?
ઓ મૃત્યુ, તારો ડંખ કયાં?"
મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામથ્યઁ નિયમશાસ્ત્ર છે. પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ મસીહ દ્વારા આપણને વિજય આપે છે તેમને ધન્યવાદ.
છેલ્લો જે શત્રુ પરાજય પામશે તે મરણ છે.
કેમકે એક માણસ દ્રારા મરણ આવ્યું, માટે માણસ દ્રારા મૂએલાંનું પુનરુત્થાન પણ આવ્યું.
કેમકે આદમ દ્રારા સવઁ મરણ પામ્યાં, તેથી મસીહ દ્રારા સવઁ સજીવન થશે.
આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે:
જો આપણે તેમની સાથે મૃત્યુ પામીએ,
તો તેમની સાથે જીવીશું પણ ખરા;
પ્રથમ પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય અને પવિત્ર છે. તેઓના પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા મસીહના યાજકો બનશે અને તેમની સાથે એક હજાર વર્ષ સુધી રાજ કરશે.
A esperança da vida eterna
Jesus disse: 'Eu sou a ressurreição e a vida.' Quem crê nele não está morto, mas apenas adormecido — e um dia despertará para a glória.
ઈસુએ તેને કહ્યું, "પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે. અને જે કોઈ મારા પર વિશ્વાસ રાખીને જીવે છે તે કદી મરશે નહિ. શું તું એવો વિશ્વાસ કરે છે?"
ઈસુએ તેને કહ્યું, "પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે. અને જે કોઈ મારા પર વિશ્વાસ રાખીને જીવે છે તે કદી મરશે નહિ. શું તું એવો વિશ્વાસ કરે છે?"
મારાંં ઘેટાં મારો અવાજ સાંભળે છે; હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંતજીવન આપું છું, અને તેઓ કદી નાશ પામશે નહિ; મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ.
કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.
ભાઈઓ અને બહેનો, અમે નથી ચાહતા કે તમે મરણમાં ઊંઘી ગયેલાં વિષે તમે અજાણ રહો, જેથી તમે બીજા લોકો જેઓની પાસે કોઇ આશા નથી તેઓની માફક તમે દુઃખી થાઓ. કેમકે આપણે માનીએ છીએ કે પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા અને સજીવન થયા, અને તેથી આપણે વિશ્વાસ કરીએ છીએ કે તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલાં છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.
કેમકે પ્રભુ પોતે ગર્જનાસહિત, પ્રમુખદૂતના પોકાર સહિત અને ઈશ્વરના રણશિંગડાંનાં અવાજ સાથે સ્વર્ગમાંથી ઊતરશે અને જેઓ મસીહમાં મૃત્યુ પામ્યા છે તેઓ પ્રથમ સજીવન થશે. ત્યાર પછી, આપણામાંનાં જેઓ જીવતાં અને બાકી રહેલાં છે તેઓ પ્રભુને મળવાં માટે તેમની સાથે વાદળોમાં ઊચકાઇ જઈશું; અને એમ આપણે સદા પ્રભુની સાથે રહીશું.
Não temas a morte
Não temas os que matam o corpo. Para o cristão, viver é Cristo e morrer é lucro. O vale da sombra da morte não assusta quem caminha com o Pastor.
જેઓ શરીરનો નાશ કરી શકે છે પણ આત્માને કાંઈ કરી શકતા નથી, તેઓથી ડરો નહિ. એના કરતા તમારાં આત્મા અને દેહ બંનેનો નરકમાં જે નાશ કરી શકે છે તેનાથી બીહો.
કેમકે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે તે તેને ગુમાવશે, પણ જે કોઈ મારે માટે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે.
કારણ કે એ મારા માટે મરવું તે લાભ અને જીવવું તે મસીહ છે
હું આ બે વચ્યે ફસાયેલો છું, હું શરીરમાંથી નીકળીને મસીહની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમકે તે ઘણી રીતે સારું છે; પણ તમારે માટે શરીરમાં રહેવું તે વધું જરૂરી છે.
પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી આપણા તારનાર પ્રભુ ઈસુ મસીહની રાહ જોઈ રહ્યા છીએ. જે, જે સામથ્યઁથી સવઁને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણા વિનાશી શરીરોનું તે મહિમાવંત શરીરોમાં રૂપાંતર કરશે.જેથી તેઓ તેમના મહિમાવાન શરીર જેવા થાય.
જો આપણે જીવી, તો પ્રભુને માટે જીવીએ છીએ; અને જો આપણે મરીએ છીએ, તો પ્રભુને માટે મરીએ છીએ. માટે, આપણે મરીએ કે જીવીએ, તોપણ આપણે પ્રભુના છીએ.
A eternidade nos aguarda
Deus enxugará toda lágrima. A morte será o último inimigo destruído. Para os salvos, a morte é a porta de entrada na presença eterna de Deus.
રાજ્યાસન પરથી મેં એક મોટો પોકાર સાંભળ્યો, "જુઓ, ઈશ્વરનું નિવાસસ્થાન હવે લોકોની મધ્યે છે. તે તેઓની સાથે રહેશે, તેઓ તેમના લોક થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહેશે અને તેમનો ઈશ્વર થશે. તે તેઓની આંખોનાં દરેક આંસુ લૂંછી નાંખશે. હવે પછી મરણ, દુઃખ, વિલાપ કે વેદના થશે નહિ. કેમકે તે બધું જુનું સદાને માટે જતું રહ્યું છે."
તે તેઓની આંખોનાં દરેક આંસુ લૂંછી નાંખશે. હવે પછી મરણ, દુઃખ, વિલાપ કે વેદના થશે નહિ. કેમકે તે બધું જુનું સદાને માટે જતું રહ્યું છે."
જેમ માણસને એક જ વાર મરવાનું અને પછી તેનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે,
કેમકે મને ખાતરી છે કે, ન તો મરણ, ન જીવન, ન તો દૂતો કે દુષ્ટ, ન વતઁમાન કે ન ભવિષ્ય, કે ન તો કોઇ પરાક્રમ, ઊંચાણ કે, ઊંડાણ કે બીજું કાંઈ પણ સૃષ્ટ વસ્તુ, ઈશ્વરના પ્રેમ આપણા પ્રભુ મસીહ ઈસુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.
ન્યાયી માણસને સારું ભાગ્યે જ કોઇ મરે; સારાં માણસ માટે કોઈ કદાચ મરવાની હિંમત કરે; પણ આપણે જયારે પાપી હતા ત્યારે આપણે માટે મસીહ મરણ પામ્યા, તેમાં ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો.
કેમકે એક માણસના પાપને કારણે મરણે રાજ કર્યું. પરંતુ જે કોઈ ઈશ્વરની કૃપા અને ન્યાયપણાનું દાન પુષ્કળ મેળવે છે તેઓ એક માણસ એટલે ઈસુ મસીહથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂવઁક છે.
કેમકે પાપનું વેતન મરણ છે, પરંતુ આપણા પ્રભુ મસીહ ઈસુની મારફતે ઈશ્વર તરફથી મળતું કૃપાદાન અનંતજીવન છે.
A morte na perspectiva bíblica
Há tempo de nascer e tempo de morrer. A morte é realidade humana, mas Deus é Senhor tanto dos vivos quanto dos mortos.
ઈસુએ મોટે અવાજે બૂમ પાડી, "હે પિતા! મારો આત્મા હું તમારાં હાથમાં સોંપું છું." જયારે તેમણે આ કહ્યું, ત્યારે તેમણે છેલ્લો શ્વાસ લિધો.
હાદેસમાં તે વેદના સહેતાં, તેણે ઉપર જોયું ને ઘણે દૂર અબ્રાહમની ગોદમાં લાઝરસને જોયો. તેથી તેણે બૂમ પાડી, ‘પિતા અબ્રાહમ, મારા પર દયા કરો ને લાઝરસને અહીં મારી પાસે મોકલો કે તે તેની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે કારણ હું અહીં આ આગમાં વેદના ભોગવી રહ્યો છું.’
દુષ્ટ વાસના ગભઁ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થતાં મોત ઊપજાવે છે.