Reino dos céus
O Reino dos Céus é comparado por Jesus a tesouros, sementes e redes. Através de parábolas, Ele revelou os mistérios de um Reino que já está entre nós, mas que se consumará na eternidade.
O valor incomparável do Reino
O Reino dos Céus é como um tesouro escondido ou uma pérola de grande valor. Quem o encontra, vende tudo para possuí-lo.
"સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે. જયારે એક માણસને તે મળ્યું તેણે તે ફરીથી છુપાવી દીધું, ને તેના હષઁને લીધે તેણે જઈ પોતાનું જે કાંઈ હતું તે બધું વેચી દઈને તે ખેતર ખરીદી લીધું.
"વળી, સ્વર્ગનું રાજ્ય ઉત્તમ મોતીની શોધનાર વેપારીના જેવું છે. જયારે તેને તે અતિમૂલ્યવાન મળી આવ્યું તે ગયો અને પોતાનું જે કાંઈ હતું તે વેચીને તેણે તે ખરીદી લીધું.
તેમણે બીજું દ્રષ્ટાંત કહ્યું: "સ્વર્ગનું રાજ્ય રાઈના બી જેવું છે. જેને એક માણસે લઇને તેનાં ખેતરમાં વાવ્યું જો કે સઘળાં બી કરતાં તે નાનું છે, પણ જયારે તે વધે છે, ત્યારે તે વધીને બગીચાના છોડો કરતાં તે મોટું વૃક્ષ બને છે. જેથી આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓમાં માળા બાંધે છે."
તેમણે તેમને બીજું એક દ્રષ્ટાંત કહ્યું: "સ્વર્ગનું રાજ્ય તે ખમીર જેવું છે, એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં ભેળવ્યું, જયાં સુધી તે બધો ખમીરવાળો થયો."
Parábolas do Reino
Jesus ensinou sobre o Reino mediante parábolas que revelam seu crescimento, seu juízo e a separação final entre justos e injustos.
ઈસુએ તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે: "સ્વર્ગનું રાજ્ય, પોતાના ખેતરમાં સારું બી વાવનાર એક માણસના જેવું છે. પણ જયારે બધા ઊંઘતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને તેણે ઘઉંમા કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. જયારે ઘઉં ઉગ્યા ને ઉંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા.
"માલિકનાં નોકરોએ તેની પાસે આવીને કહ્યું, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું ન હતું? તો કડવા દાણા ક્યાંંથી આવ્યા?’
"તેણે જવાબ આપ્યો, ‘એ કોઈ દુશ્મને કયુઁ છે.’
"નોકરોએ તેમને પૂછયું, ‘શું તમારી ઇચ્છા છે કે અમે જઈને તેઓને ઉખેડી નાખીએ?’
"તેણે જવાબ આપ્યો, ‘ના, કેમકે જયારે કડવા ઉખેડવા જતા, તમે ઘઉંને તેમની સાથે ઉખેડી નાખો. કાપણી સુધી બંનેને સાથે વધવા દો. તે સમયે હું કાપણી કરનારને કહીશ કે, પહેલાં કડવાને એકઠા કરો અને બાળવા સારું તેના ભારા બાંધો, અને ઘઉંને ભેગા કરો અને મારી કોઠારમાં લાવો.’ "
પછી ટોળાને મૂકીને ઈસુ ઘરમાં ગયા. તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું "ખેતરના કડવા દાણાનું દ્રષ્ટાંત અમને સમજાવો."
તેમણે જવાબ આપ્યો, "સારાં બી જેણે વાવ્યાં તે માણસનો દીકરો છે. ખેતર એ જગત છે, અને સારાં બી એ સ્વર્ગનાં રાજ્યનાં લોકો માટે છે. કડવા દાણા એ શેતાનનાં લોકો છે. અને કડવા દાણા વાવી જનાર દુશ્મન એ શેતાન છે, કાપણી એ જગતનો અંત છે અને પાક લણનારાં એ દૂતો છે.
"જેમ કડવા દાણા ખેંચીને અગ્નિમાં સળગાવી દેવામાં આવે છે, તે જ પ્રમાણે જગતના અંતકાળે થશે. માણસનો દીકરો તેમના દૂતોને મોકલશે અને જેઓ તેમના રાજ્યમાંથી પાપનું કારણ બને છે અને જે બધી દુષ્ટતા કરે છે તે બધાને તેઓ કાઢી નાખશે, તેઓ તેમને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે, ત્યાં રડવું અને દાંત પીસવું થશે. ત્યારે ન્યાયી પોતાના પિતાનાં રાજ્યમાં સૂર્યની માફક પ્રકાશશે. જેને કાન હોય તે સાંભળે."
"ફરીવાર સ્વર્ગનું રાજ્ય જાળનાં જેવું છે કે જેને સરોવરમાં નાખી અને દરેક જાતની માછલીઓ પકડાય. જયારે તે ભરાઈ ગઇ ત્યારે માછીમારો તેને કિનારા પર ખેંચી લાવ્યાં, પછી તેઓએ બેસીને સારી માછલીઓ ટોપલીમાં એકઠી કરી અને નકામી માછલીઓને ફેંકી દીધી. જગતના અંત સમયે આ જ પ્રમાણે થશે. દૂતો આવશે ને ન્યાયીઓને દુષ્ટો થી જુદાં પાડશે. અને તેઓને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે, ત્યાં રડવું અને દાંત પીસવું થશે.
Quem herda o Reino
Os humildes, os pobres de espírito e as crianças são herdeiros do Reino. Mas é difícil para os ricos entrarem nele.
"આત્મામાં જેઓ રાંક છે તેઓ આશીર્વાદિત છે,
કારણ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
જેઓ શોક કરે છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓને દિલાસો મળશે.
જેઓ નમ્ર છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે પૃથ્વીનો વારસો તેઓને મળશે.
જેઓ ન્યાયીપણા માટે ભૂખ્યા અને તરસ્યા છે તેઓ આશીવાઁદિત છે,
કેમકે તેઓ ધરાશે,
જેઓ, દયાળુ છે તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
જેઓનાં હૃદય શુદ્ધ છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓ ઈશ્વરને જોશે.
જેઓ સલાહ કરાવનારાં છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓ ઈશ્વરના પુત્રો કહેવાશે.
ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી થાય છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
"જયારે લોકો તમારી નિંદા કરે, તમારી સતાવણી કરે અને મારે લીધે તમારી વિરુદ્ધ દરેક પ્રકારની જૂઠી વાતો અસત્યતાથી કહે, ત્યારે તમે આશીર્વાદિત છો. આનંદ કરો અને હરખાઓ, કારણ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે, તમારી અગાઉના પ્રબોધકોની પણ એવી જ સતાવણી થઈ હતી.
એ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, "તો સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?"
તેમણે એક નાનાં બાળકને તેમની પાસે બોલાવીને, બાળકને તેઓની વચ્ચે ઊભુ રાખ્યું, અને તેમણે કહ્યું, હું સાચે જ તમને કહું છું "જયાં સુધી તમે નહિ ફરો, અને બાળકોનાં જેવા નહિ બનો, તો તમે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકશે નહિ. માટે જે કોઈ આ બાળકના જેવું નીચું સ્થાન લેશે તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે;
ઈસુએ કહ્યું, "નાના બાળકોને મારી પાસે આવવાં દો, તેઓને અટકાવશો નહિ. કેમકે સ્વર્ગનું રાજ્ય એ એવાઓનું જ છે."
ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે "ધનવાનને સ્વગઁના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે. ફરીથી હું તમને કહું છું કે, ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તેના કરતાં ઊંટ માટે સોયના નાકામાં થઈને જવું સહેલું છે."
જ્યારે શિષ્યોએ આ સાંભળ્યું તેઓ ખૂબ જ આશ્ચયઁ પામ્યા અને પૂછયું, "તો પછી કોણ તારણ પામી શકે?"
ઈસુએ તેઓની સામે જોઈને કહ્યું, "માણસોને તો એ અશક્ય છે. પણ ઈશ્વરને સર્વ શકય છે."
મારા પ્રિય ભાઈઓને બહેનો સાંભળો: વિશ્વાસમાં ધનવાન થવા સારું, તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવાં સારું, ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કયાઁ?
Buscar o Reino acima de tudo
Jesus ensinou que devemos buscar primeiro o Reino e sua justiça. Nem todo que diz 'Senhor, Senhor' entrará — só quem faz a vontade do Pai.
"દરેક જેઓ મને ‘પ્રભુ, પ્રભુ’ કહે છે તેઓ સવઁ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકશે નહિ, પણ જેઓ મારા સ્વર્ગમાનાં પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ.
એ માટે જો કોઈ માણસ સૌથી નાનામાં નાની આજ્ઞાને બાજુ પર મુકશે અને બીજાઓને એવું કરતા શીખવશે, તો તે સ્વર્ગીય રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પરંતુ, જેઓ ઈશ્વરના નિયમોને પાળશે ને શિખવશે તેઓ સ્વર્ગના રાજ્યમાં મહાન કહેવાશે. હું તમને કહું છું: કે તમારું ન્યાયીપણું ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો કરતાં ચઢીયાતું નહિ હોય તો તમે સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશી શકવાનાં જ નથી.
"તો, પછી, તમારે આ રીતે પ્રાર્થના કરવી જોઈએ:
" ‘સ્વર્ગમાંના અમારા પિતા,
તમારું નામ પવિત્ર મનાઓ.
તમારું રાજ્ય આવો,
તમારી ઈચ્છા પૂરી થાઓ,
જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર,
તે દિવસોમાં યોહાન બાપ્તિસ્ત આવ્યો, યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ કરતો, અને કહેતો "પસ્તાવો કરો કેમકે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે."
તે સમયથી ઈસુએ ઉપદેશ આપવાનો આરંભ કર્યો, "પસ્તાવો કરો, કેમકે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે."
જઈને આ સંદેશ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે.’
હું તમને કહું છું કે ઘણાં લોકો પૂવઁથી અને પશ્વિમથી આવશે અને સ્વર્ગના રાજ્યમાં અબ્રાહમ, ઇસહાક અને યાકોબની સાથે પવઁમા બેસશે,
હું તમને સાચે જ કહું છું કે સ્ત્રીથી જેઓ જન્મ્યાં છે, તેઓમાં યોહાન બાપ્તિસ્ત કરતા કોઈ મોટો ઉત્પન્ન થયો નથી; તોપણ સ્વર્ગના રાજ્યમાં જે નાનો છે તે તેના કરતાં પણ મોટો છે. યોહાને બાપ્તિસ્તનાં દિવસોથી લઈને અત્યાર સુધી સ્વર્ગનું રાજ્ય હિંસાને સોંપવામાં આવેલું હતું, અને હિંસક લોકો અધિકાર ચલાવે છે.
A herança eterna
O Reino dos Céus é inabalável e eterno. Deus nos chama a fazer firme a nossa vocação e eleição para entrar nesse Reino.
માટે, આપણને તો એવું રાજ્ય મળ્યું છે કે જે હલાવી શકાતું નથી, તેથી આપણે આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે ભય તથા આદર સાથે તેમની આરાધના કરીએ. કેમકે "આપણા ઈશ્વર ભસ્મ કરી નાંખનાર અગ્નિ છે."
તેથી મારા ભાઈઓ અને બહેનો, તમને મળેલાં તેળા તથા પસંદગી નક્કી કરવા સારું પુરો પ્રયાસ કરો. કેમકે જો તમે આ બાબતો કરશો તો તમે કયારેય ઠોકર ખાશો નહિ, અને આપણા પ્રભુ તથા તારનાર ઈસુ મસીહના સાર્વકાલિક રાજ્યમાં તમારું ભવ્ય સ્વાગત થશે.
પ્રભુ મને સર્વ અનિષ્ટોથી બચાવીને તેમના સ્વર્ગીય રાજ્યમાં લાવશે. તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.
"ઓ નાની ટોળી, બીશ નહિ, કારણ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.
કેમકે તમે એ વાત ચોક્કસ જાણો છો કે: કોઈ પણ અનૈતિક, અશુધ્ધ કે દ્રવ્યલોભી વ્યક્તિ તો મૂર્તિપૂજક છે, તેને મસીહના અને ઇશ્વરના રાજ્યમાં કોઈ વારસો નથી.