વિશ્વાસીઓ કે જેઓ મૃત્યું પામ્યાં છે
13 ભાઈઓ અને બહેનો, અમે નથી ચાહતા કે તમે મરણમાં ઊંઘી ગયેલાં વિષે તમે અજાણ રહો, જેથી તમે બીજા લોકો જેઓની પાસે કોઇ આશા નથી તેઓની માફક તમે દુઃખી થાઓ. 14 કેમકે આપણે માનીએ છીએ કે પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા અને સજીવન થયા, અને તેથી આપણે વિશ્વાસ કરીએ છીએ કે તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલાં છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.