3 તમે પવિત્ર થાઓ: અને વ્યભિચારથી દૂર રહો એવી ઈશ્વરની ઇચ્છા છે; 4 અને તમારાંમાંના દરેકે પવિત્ર અને માનપૂર્વક પોતાના શરીરને કાબુમાં રાખવાનું શિખવું જોઈએ. 5 જે મૂતિઁપૂજકો ઇશ્વરને નહિ જાણનારાં તેમની જેમ વિષયવાસનામાં ન જીવો; 6 અને આ બાબતમાં કોઇએ પોતાના ભાઈ કે બહેનનું ખોટું ન કરવું, અને તેમનો ફાયદો ન ઉઠાવવો જોઈએ, જેમ અમે તમને પહેલેથી કહ્યું અને ચેતવણી આપી હતી, તેમ એવાં પાપ કરનારને પ્રભુ ભારે શિક્ષા કરશે. 7 કેમકે ઈશ્વરે આપણને અશુધ્ધતાને સારું નહિ પણ પવિત્ર જીવન જીવવા માટે તેડું આપ્યું છે.
Publicidade
Publicidade