11 આ રીતે બધું જ નાશ પામશે, તો તમારે કેવાં લોકો બનવું જોઈએ? તમારે પવિત્ર અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ. 12 પ્રભુના આગમનના એ દિવસની તમે આતુરતાથી રાહ જુઓ અને તેમના આવવાનું જલદી થાય એવા પ્રયત્ન કરો. તે દિવસે આકાશોને બાળી નાંખશે અને તત્વો બળીને પીગળી જશે. 13 પણ, આપણે તેમના વચન પ્રમાણે નવાં આકાશ અને નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ જયાં કેવળ ન્યાયીપણું જ વસે છે.
Publicidade
Publicidade