અધમઁનો માણસ
1 હવે, ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ મસીહના પુનરાગમન અને તેમની સાથે આપણા એકત્ર થવા વિશે, અમે તમને વિનંતી કરીએ છીએ, 2 અમારા તરફથી કથિત શિક્ષણથી, ભલે તે ભવિષ્યવાણી દ્રારા હોય કે મૌખિક રીતે કે પત્ર દ્રારા પ્રભુનો દિવસ આવી ગયો છે એવી અફવા સાંભળીને અસ્વસ્થ કે ગભરાઈ ન જશો. 3 કોઈ તમને છેતરે નહિ, કારણ કે જયાં સુધી બળવો ન થાય અને દુષ્ટ માણસ, જેનો વિનાશ થવાની તૈયારી છે, તે પ્રગટ ન થાય, ત્યાં સુધી તે દિવસ આવશે નહિ. 4 તે જે ઈશ્વર કહેવાય છે અથવા જે પૂજ્ય મનાય છે, તેની વિરુદ્બ તે પોતાને મોટો મનાવશે, જેથી પોતે ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઇશ્વરનાં મંદિરમાં બેસે.