મસીહની નમ્રતાને અનુસરો
1 તેથી, જો તમને મસીહમાં એક થવાથી કંઈ ઉતેજન, જો તેમના પ્રેમનો કંઈ દિલાસો, જો કંઈ આત્માની સંગત, જો કંઈ દયા અને કરુણા હોય, 2 તો મારો આનંદ એવી રીતે સંપૂણઁ કરો કે, તમે એક જ મનનાં બનો, એક સરખો પ્રેમ રાખો, એક જ આત્માના ને એક જ દિલના બનો.