Amor ao próximo
O amor ao próximo não é opcional — é mandamento. Amarás o teu próximo como a ti mesmo. A lei inteira se cumpre nesta palavra. O amor ao próximo é prova do amor a Deus.
"જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે કે: ‘તમે તમારા પડોશી પ્રત્યે પ્રેમ રાખો અને તમારા દુશ્મનોને ધિક્કારો.’ પણ હું તમને કહું છું કે તમારાં દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમારી સતાવણી કરે છે તેઓના માટે પ્રાર્થના કરો;
મારી આજ્ઞાઓ આ છે: કે જેમ મેં તમારાં પર પ્રેમ કર્યો, તેમ તમે એકબીજા પર પ્રેમ કરો.
એકબીજા પર પ્રેમ રાખો એ સિવાય બીજું કોઈનું દેવું રાખશો નહિ. કારણ કે કોઇ બીજાઓ પર પ્રેમ રાખે છે તેણે નિયમનું પાલન કર્યુ છે.
આપણામાંના દરેકે આપણા પાડોશીઓના ભલા માટે, તેમની ઉન્નતિને અર્થે ખુશ કરવા જોઈએ.
સઘળું પ્રેમપૂર્વક કરો.
જેમ અમારો પ્રેમ તમારાં માટે વધુ છે તેમ પ્રભુ એકબીજા પરનાં તથા સવઁ માણસો પરનાં તમારાં પ્રેમમાં પુષ્કળ વધારો કરે.
ભાઈઓ અને બહેનો તરીકે એકબીજા પર પ્રેમ રાખો. અજાણ્યાઓને પરોણાગત કરવાનું ભૂલશો નહિ, કેમકે એવું કરવાથી કેટલાકે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે. જેઓ જેલમાં છે તેઓની સાથે તમે પણ જેલમાં હો એમ સમજીને તેઓને યાદ કરો, અને જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને યાદ કરો જાણે તમે પોતે પણ દુઃખ સહન કરી રહ્યાં છો.
તોપણ પવિત્રલેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે "જેવો પોતા પર તેવો જ તારા પડોશી પર પ્રેમ રાખ." જો તમે એ આજ્ઞા પાળો છો તો તમે ઘણું સારું કરો છો.
વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો, કેમકે પ્રેમ પાપનાં પુંજને ઢાંકી દે છે.
એ માટે પવિત્ર અને વહાલાઓ ઇશ્વરના પસંદ કરેલાં લોકોને ઘટે તેમ કરુણા, દયાળુ, નમ્રતા, મમતા, વિનય, તથા ધીરજ પહેરો. એકબીજાનું સહન કરો અને જો કોઇને કોઇની સાથે તકરાર હોય તો તેને માફ કરો, જેમ પ્રભુએ તમને માફી આપી તેમ તમે પણ બીજાઓને માફી આપો. અને આ બધા ઉપરાંત પ્રેમ પહેરો, જે સંપૂણઁતા એકતામાં બાંધે છે.
અને મસીહની શાંતિ કે જે પામવાં સારું તમને એક શરીરનાં અવયવો તરીકે તેડાયેલા છો, તે તમારા હ્રદયોમાં રાજ કરે. અને સર્વદા આભારસ્તુતિ કરો.
કેમકે જે સંદેશો શરૂઆતથી તમે સાંભળ્યો છે તે એ જ છે કે: આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.
જે કોઈ પોતાના ભાઈનો કે બહેનનો તિરસ્કાર કરે છે તે ખૂની છે; અને તમે જાણો છો કે કોઈ ખૂનીમાં અનંતજીવન રહેતું નથી.
તેથી આપણે પ્રેમ શું છે તે જાણીએ: ઈસુ મસીહે પોતાનું જીવન આપણા વતી આપ્યું, અને આપણે પણ ભાઈઓ અને બહેનો માટે જીવન આપવું જોઈએ.
તેથી આપણે પ્રેમ શું છે તે જાણીએ: ઈસુ મસીહે પોતાનું જીવન આપણા વતી આપ્યું, અને આપણે પણ ભાઈઓ અને બહેનો માટે જીવન આપવું જોઈએ.
પ્રિય મિત્રો, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમકે પ્રેમ ઈશ્વર તરફથી છે. જેઓ પ્રેમાળ છે તેઓ ઈશ્વરથી જન્મેલાં અને ઈશ્વરને ઓળખે છે. જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી, કેમકે ઈશ્વર પ્રેમ છે.