2 એને પરિણામે, તેઓ બાકીનું પૃથ્વી પરનું જીવન મનુષ્યની ભૂંડી ઇચ્છાઓ પાછળ નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવામાં પસાર કરે છે. 3 વિધર્મીઓ આનંદ માને છે, એવાં કાર્ય એટલે વ્યભિચાર, વાસના, મોજશોખ, છાકટાપણું અને ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં તમે જે સમય ગુમાવ્યો છે તે બસ છે. 4 હવે આ બાબતોમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતાં નથી, તેથી તેઓ નવાઈ પામીને તમારી નિંદા કરે છે. 5 પરંતુ જીવન તથા મૃત્યુ પામેલ સર્વનો ન્યાય કરનાર છે તેને તેઓએ હિસાબ આપવો પડશે. 6 એ કારણથી મૃત્યુ પામેલાંઓને પણ સુસમાચાર પ્રગટ કરવામાં આવ્યા હતા, જેથી દેહમાં રહેલા માણસોના જેવો ન્યાય થયા પછી પણ તેઓ ઇશ્વરના જેવા આત્મમાં જીવે.
7 સવઁનો અંત નજીકમાં જ છે. તેથી જાગૃત રહીને સંયમી થઇને પ્રાર્થના કરો.