22 પત્નીઓ, તમે જેમ ઈશ્વરને આધીન રહો છો, તેમ તમારાં પતિને પણ આધીન રહો. 23 કારણ કે જેમ મસીહ મંડળીનું શિર છે, તે જ પ્રમાણે પતિ પત્નીનું શિર છે, વળી મસીહ શરીરનો ત્રાતા છે. 24 તેથી જેમ મંડળી મસીહને આધીન રહે છે, તેમ પત્નીએ સર્વ વાતે પોતાના પતિની આધીનતામાં રહેવું જોઈએ.
25 જેમ મસીહે મંડળી પર પ્રેમ દર્શાવ્યો અને તેને માટે પોતાને આપી દીધા, તેમ પતિઓ તમે પત્નીઓ પર પ્રેમ રાખો. 26 એ સારું કે વચન વડે જળસ્નાનથી શુધ્ધ કરીને, મસીહ મંડળીને પવિત્ર કરે, 27 અને જેને ડાઘ, કરચલી કે નિશકલંક, પવિત્ર, નિર્દોષ અને મહિમાવંત મંડળી તરીકે રજૂ કરે. 28 તે જ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીર પર, તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો. જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાને જ પ્રેમ કરે છે. 29 આખરે, કોઈ પોતાના શરીર પર દ્વેષ રાખતો નથી. પણ તેનું પાલન અને પોષણ કરીને તેની સંભાળ રાખે છે, જેમ મસીહ મંડળીને સારું કરે છે તેમ, 30 "કેમકે આપણે તેમનાં શરીરનાં અવયવો છીએ. 31 એ કારણને લીધે પુરુષ પોતાના માબાપને છોડી ને પોતાની પત્નીની સાથે જોડાશે, અને તેઓ બંને એક દેહ થશે." 32 આ મોટો મમઁ છે, પણ હું મસીહ તથા મંડળી વિશે કહું છું. 33 તોપણ દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે. પત્નીએ પોતાના પતિનું માન રાખવું.