કચકચ વિના બધું કરો
12 તેથી, મારા વહાલાં મિત્રો, જેમ તમે હંમેશા આજ્ઞાનું પાલન કયુઁ છે, કેવળ મારી હાજરીમાંજ નહિ પણ મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારી સહીત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. 13 કેમકે ઈશ્વર પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે.
14 તમે જે કાંઈ કરો તે વાદવિવાદ અને દલીલ વગર બધું કરો, 15 જેથી તમે નિદોઁષ અને શુધ્ધ બનો, "વિકૃત અને કુટીલ પેઢીમાં ઈશ્વરનાં નિદોઁષ બાળકો" બનો, પછી તમે આકાશના તારાઓની જેમ તેમની મધ્યે ચમકશો. 16 જો તમે જીવન આપનાર વચનને દ્રઢતાથી વળગી રહો, તો મસીહના દિવસે હું એવું અભિમાન કરી શકું કે હું વૃથા દોડયો નથી કે મહેનત કરી નથી.