6 વડીલ નિદોઁષ હોય, તેની સ્ત્રીને વિશ્વાસુ હોય, જેના બાળકો વિશ્વાસુ હોય અને જેના પર અનાદર કે આજ્ઞાનું ઉલ્લંધન કરવાનો આરોપ ન હોય. 7 આગેવાન ઇશ્વરના ઘરનો કારભારી છે, તે નિદોઁષ હોવો જોઈએ, તે સ્વછંદી, ક્રોધી, દારૂડિયો, ઝઘડાખોર કે નીચ લાભનો દ્રવ્યલોભી હોવો ન જોઈએ. 8 તેના બદલે, તે મહેમાનગતી કરનાર, જે સારું છે તેના પર પ્રીતિ કરનાર, સંયમી, ન્યાયી, પવિત્ર અને શિસ્તબધ્ધ હોવો જોઈએ. 9 તે વિશ્વાસયોગ્ય ઉપદેશને દ્રઢતાથી વળગી રહેનાર હોવો જોઈએ, જેથી તે બીજાઓને શુધ્ધ સિધ્ધાંત દ્રારા ઉતેજન આપી શકે અને તેનો વિરોધ કરનારાઓને ઠપકો આપી શકે.