6 એમાં તમે આનંદ કરો છો, જો કે થોડા સમય માટે તમને દરેક પ્રકારની કસોટીઓમાં દુઃખ સહન કરવું પડ્યું હોય. 7 આ એટલા માટે આવ્યા છે કે તમારા વિશ્વાસની સાબિતી સત્યતા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં પણ વધું મૂલ્યવાન છે, તે ઈસુ મસીહના પ્રગટ થવાનાં સમયે મહિમા, પ્રસંશા અને સન્માનમાં પરિણમી શકે. 8 તમે તેમને જોયા નથી, છતાં તમે તેમના પર પ્રેમ રાખો છો, હાલ પણ તમે તેમને જોતાં નથી, છતાં તેમના પર વિશ્વાસ રાખો છો અને અવર્ણનીય અને મહિમાવંત આનંદથી ભરપૂર થાઓ છો, 9 કારણ કે તમે તમારા વિશ્વાસનું પરિણામ, એટલે તમારા આત્માનું તારણ પામો છો.
Publicidade
Publicidade