ઈશ્વર માટે જીવવું
1 હવે મસીહે આપણા માટે પોતાના શરીરમાં દુઃખ સહન કયુઁ, તેમની માફક તમારે પણ સહન કરવા તૈયાર રહેવું, કારણ કે જેણે શરીરમાં દુઃખ સહન કયુઁ છે તે પાપથી મુકત થયો છે. 2 એને પરિણામે, તેઓ બાકીનું પૃથ્વી પરનું જીવન મનુષ્યની ભૂંડી ઇચ્છાઓ પાછળ નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવામાં પસાર કરે છે. 3 વિધર્મીઓ આનંદ માને છે, એવાં કાર્ય એટલે વ્યભિચાર, વાસના, મોજશોખ, છાકટાપણું અને ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં તમે જે સમય ગુમાવ્યો છે તે બસ છે. 4 હવે આ બાબતોમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતાં નથી, તેથી તેઓ નવાઈ પામીને તમારી નિંદા કરે છે. 5 પરંતુ જીવન તથા મૃત્યુ પામેલ સર્વનો ન્યાય કરનાર છે તેને તેઓએ હિસાબ આપવો પડશે.