3 તે ઉપરાંત, તમારે એ સમજવું જોઈએ કે છેલ્લા દિવસોમાં ઠઠ્ઠા કરનારાઓ આવશે, જેઓ પોતાની દુષ્ટ ઈચ્છાઓ પ્રમાણે ચાલશે. 4 તેઓ કહેશે, "તેમના ‘આગમનના’ વચનનું શું થયું? આપણા પૂવઁજો મૃત્યું પામ્યા ત્યારથી સૃષ્ટિના આરંભથી જે હતું તે બધું આજે પણ તેવું ને તેવું જ છે." 5 પણ તેઓ જાણીબુઝીને આ વીસરી જાય છે કે ઘણાં સમય પહેલાં ઈશ્વરના શબ્દથી આકાશ અસ્તિત્વમાં આવ્યું અને પૃથ્વી પાણીમાંથી તથા પાણી વડે પૃથ્વીની રચના કરી હતી. 6 આ પાણીથી તે સમયનું જગત પણ જળપ્રલયમાં ડૂબીને નાશ પામ્યું. 7 એ જ શબ્દ દ્રારા હાલનાં આકાશ અને પૃથ્વી ન્યાયના દિવસ અને અધર્મીઓના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે રાખેલાં છે.