14 તોપણ કાલે શું થવાનું છે એ તમે જાણતા નથી. તમારી જિંદગી શેનાં જેવી છે? તમે સવારનાં ધુમ્મસ જેવા છો. તે થોડીવાર દેખાય અને પછી અદ્રશ્ય થઈ જાય છે. 15 પણ ઊલટું, તમારે એમ કહેવું જોઈએ, "જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતાં રહીશું અને આ અથવા પેલું કાર્ય કરીશું."