23 કેમકે તમે વિનાશી બીજથી નહિ પણ અવિનાશીથી, ઈશ્વરના જીવંત તથા સાર્વકાલિક રહેનાર વચન વડે, તમને નવો જન્મ આપવામાં આવ્યો છે. 24 કેમકે,
"સઘળાં લોકો ઘાસ જેવા છે.
અને તેઓનું સઘળું ગૌરવ ઘાસના ફૂલ જેવું છે.
ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે.
25 પણ પ્રભુના સુસમાચારનું વચન સદાકાળ ટકે છે."
અને જે વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે તે જ છે.