21 કારણ કે તમને તેને માટે બોલાવવામાં આવ્યા છે; કેમકે મસીહે પણ તમારા માટે સહન કયુઁ, અને તમને એક નમૂનો આપ્યો કે તમે તેને પગલે ચાલો.
22 "તેમણે કંઈ પાપ કર્યું નહિ,
અને તેમના મોંમા કદી કંઈ કપટ માલૂમ પડ્યું નહિ."
23 જયારે તેમણે તેમનું અપમાન કયુઁ, ત્યારે તેમણે બદલો વાળ્યો નહિ; જયારે તેમણે દુઃખ સહન કયુઁ ત્યારે તેમણે સામી ધમકી આપી નહિ; તેના બદલે તેમણે ન્યાય કરનારને સોંપી દીધા. 24 "ક્રૂસ પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા." જેથી આપણે પાપનાં સંબંધમાં મૃત્યુ પામીને ન્યાયપણાં માટે જીવીએ; તેમના ઘાથી આપણે સાજા થયા છે.