21 તમે એક સમયે ઈશ્વરથી ખૂબ દૂર હતા અને દુષ્ટ વતઁનથી તમારા મનમાં તેમના દુશ્મનો હતા. 22 પરંતુ હવે તેમણે મસીહના શારીરિક શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે, જેથી તમને તેમની હજૂરમાં પવિત્ર, નિર્દોષ, અને દોષરહિત રજૂ કરે, 23 જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો, અને જે સુસમાચાર તમે સાંભળ્યા છે, તેની આશામાંથી જો ચલિત ન થાઓ તો, એ સુસમાચાર આકાશ નીચેનાં સવઁ પ્રાણીઓને પ્રગટ કરવામાં આવી છે, અને હું પાઉલ તેનો સેવક છું.
Publicidade
Publicidade