4 પણ જયારે ઠરાવેલ યોગ્ય પૂણઁ સમય આવ્યો, ત્યારે ઈશ્વરે પોતાનો દીકરો, નિયમને આધીનતામાં સ્ત્રીથી જન્મેલ મોકલ્યો, 5 એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે કે, જેથી આપણને દત્તકપુત્ર થવાનો હક્ક મળે. 6 કેમકે આપણે તેનાં સંતાન છીએ, ઈશ્વરે પોતાના પુત્રનો આત્મા આપણા હૃદયોમાં મોકલ્યો છે, આત્મા કે જે અને હવે અબ્બા એટલે પિતા કહીને હાંક મારે છે.