17 જે વડીલો મંડળી કામકાજ સારી રીતે ચલાવે છે, તેઓને બમણાં માનને પાત્ર ગણવાં, ખાસ કરીને જેઓ ઉપદેશ આપવામાં તથા શિક્ષણ આપવામાં વિશેષ કામ કરે છે તેઓને. 18 કારણ શાસ્ત્ર કહે છે કે, "પારે ફરતાં બળદને મોઢે તું શીકી ન બાંધ," અને "શ્રમ કરનાર પોતાના મહેનતાણાને યોગ્ય છે."
Publicidade
Publicidade