યહૂદી અને વિદેશી લોકોનું મસીહ દ્રારા સમાધાન
11 એ માટે, યાદ રાખો કે તમે પહેલાં દેહ સંબંધી વિદેશી હતાં, ને દેહ સંબંધી હાથે કરેલી "સુન્નતવાળા" તમને "બેસુન્નતી" કહેતા હતાં; 12 યાદ રાખો કે તમે મસીહ વિનાનાં, ઇઝરાયેલના પ્રજાપણાંના હક વિનાના, તથા આપેલા વચનનાં કરારથી પારકા, જગતમાં આશારહિત તથા ઈશ્વર વગરનાં એવા હતા. 13 પણ હવે તમે મસીહ ઈસુમાં જેઓ દૂર હતાં, મસીહના રક્ત દ્રારા તમે નજીક આવ્યા છો.