19 તેથી તમે હવે પરદેશી કે અજાણ્યા નથી, પણ ઈશ્વરના લોકો સાથે અને તેમના ઘરના લોકો સાથે સહનાગરીક છો. 20 તમે જે પાયા પર બંધાયા છો તે પ્રેષિતોએ અને પ્રબોધકોએ નાંખેલો છે અને મસીહ ઈસુ પોતે જ ખૂણાનો મુખ્ય પથ્થર છે. 21 અને તેમનામાં આખી ઈમારત એક સાથે જોડાયેલી છે અને પ્રભુમાં એક પવિત્ર મંદિર બનવા માટે વધી રહી છે. 22 અને તેમનામાં તમે પણ એક નિવાસસ્થાન બનવા માટે એક સાથે બંધાઈ રહ્યા છો જેમાં ઈશ્વર તેમના આત્મા દ્રારા રહે છે.