12 જે માણસ પરીક્ષણોમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કારણ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને આપવાનું વચન આપ્યું છે તે તેને મળશે.
13 જો કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કયુઁ છે, એમ તેણે ન કહેવું; કેમકે દુષ્ટતાથી ઇશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તેઓ કોઇને પરીક્ષણમાં નાખતાં પણ નથી. 14 પણ દરેક માણસ પોતે પોતાની દુષ્ટ વાસનાઓથી ખેંચાઈને પરીક્ષણમાં પડે છે. 15 દુષ્ટ વાસના ગભઁ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થતાં મોત ઊપજાવે છે.