ઇશ્વરને આધીન થાવ
1 તમારાંમાં લડાઈ અને ઝગડા શાથી થાય છે? શું તમારાં દેહમાં સંઘર્ષ કરતી દુર્વાસનાઓને કારણે નહિ? 2 તમે ઇચ્છા રાખો છો પણ મળતું નથી, તેથી તમે હત્યા કરો છો. તમે લોભ કરો છો, પરંતુ તમને જે જોઈએ તે મેળવી શકતા નથી. તેથી તમે લડાઈ ઝઘડા કરો છો. તમને મળતું નથી કારણ કે તમે ઈશ્વર પાસે માંગતા નથી.