14 તમારાંમાં શું કોઈ બિમાર છે? તો તેમણે મંડળીના વડીલોને બોલાવીને તેઓએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. 15 વિશ્વાસથી કરેલી પ્રાર્થના બિમાર વ્યક્તિને સાજો કરશે; પ્રભુ તેને ઉઠાડશે, જો તેણે પાપ કયાઁ હશે તો તેને માફ કરવામાં આવશે. 16 તમે નિરોગી થાઓ માટે એકબીજાની આગળ તમારાંં પાપ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થનામાં સામર્થ્ય હોય છે અને અસરકારક હોય છે.
Publicidade
Publicidade