બીજા કોઈ સુસમાચાર નહિ
6 મને નવાઈ લાગે છે કે જેણે તમને મસીહની કૃપાથી બોલાવ્યાં, તેને મૂકીને તેટલાં બધા વહેલા તમે કોઈ જુદા જ સુસમાચાર તરફ વળી ગયા છો. 7 તે બીજા સુસમાચાર નથી; માત્ર કેટલાંએક તમને હેરાન કરે છે, અને મસીહનાં સુસમાચારને ઉલટાવી નાંખવા ચાહે છે. 8 જે સુસમાચાર અમે તમને પ્રગટ કયાઁ છે, એ સિવાયના બીજા કોઈ પણ સુસમાચાર પ્રગટ હું કે આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. 9 હું ફરીથી કહું છું: તમે અમારી પાસેથી સાંભળ્યા છે તે વિના અન્ય સુસમાચાર જે કોઈ પ્રગટ કરે તેના પર ઈશ્વરનો શાપ ઊતરો!