10 કેમકે જો કોઇ આખું નિયમશાસ્ત્ર પાળે અને માત્ર એક નાનકડી બાબતમાં ભૂલ કરે તો તે બધા જ નિયમોનો ભંગ કરનાર ઠરે છે. 11 કારણ કે જેણે કહ્યું કે: "તું વ્યભિચાર ન કર," તેમણે એ પણ કહ્યું કે, "તું ખૂન ન કર." માટે તમે વ્યભિચાર નથી કરતા પણ જો ખૂન કરો છો તો તમે નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર થયા છો.
12 સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વતોઁ.