10 ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આવેલું દુઃખ શોક નહિ, પણ તારણ ઉપજાવે એવો પસ્તાવો ઉત્પન્ન કરે છે, પણ સાંસારિક દુઃખ મૃત્યુ લાવે છે. 11 જુઓ, પ્રભુ તરફથી આવેલા દુઃખથી તમારાંમાં શું ઉત્પન્ન થયુંઃ તેથી જ તમારામાં કેવી આતુરતા ઉત્પન્ન થઈ, વળી પોતાને નિદોઁષ ઠરાવવાને માટે તમારી કેવી ઉત્કંઠા, વળી કેવો ક્રોધ, અને બદલો લેવાની કેવી તત્પરતા, એ સર્વમાં તમે પોતાને નિર્દોષ સાબિત કર્યા છે.
Publicidade
Publicidade