6 યાદ રાખો કે: જે કોઈ નજીવું વાવે છે તે નજીવું પામશે. અને જે ઉદારતથી વાવે છે તે ઉદારતાથી લણશે. 7 દરેકે અગાઉથી પોતાના હ્રદયમાં નક્કી કર્યા પ્રમાણે આપવું, અનિચ્છાએ નહિ કે ફરજથી નહિ, કારણ કે ઈશ્વર ખુશીથી આપનારને ચાહે છે. 8 ઈશ્વર તમને ભરપૂરપણે આશીઁવાદ આપવાં શકિતમાન છે. જેથી તમારી પાસે હંમેશ જરૂરી સર્વ હોય, ને તમે દરેક સારા કામમાં ભરપૂર થાઓ. 9 જેમ લખેલું છે તેમ:
"તેણે વેયુઁ છે, તેણે ગરીબોને આપ્યું છે;
તેનું ન્યાયપણું સવઁકાળ ટકે છે"
10 હવે જેને, વાવવા માટે બી અને ખોરાકને માટે રોટલી આપે છે, તે તમારા બીજનો સંગ્રહ પણ પૂરો પાડશે અને વધારશે તે તમારા ન્યાયપણાના પાકને વધારશે. 11 તમે દરેક રીતે સમૃધ્ધ થશો, જેથી તમે દરેક પ્રસંગે ઉદાર બની શકો, અને તમારા દ્રારા તમારી ઉદારતા આભારી હદયે ઈશ્વરની સ્તુતિ કરશે.
12 આ સેવા તમે જે કરો છો તે ફકત પ્રભુના લોકોની જરૂરિયાતો જ પૂરી કરતી નથી, પણ ઈશ્વર પ્રત્યે આભારસ્તુતિ પુષ્કળ ફળ ઉત્પન્ન કરે છે.