6 ઈશ્વર "તે દરેકને તેની કરણી પ્રમાણે બદલો આપશે." 7 જેઓ ખંતથી સારાં કામ કરે છે અને જે અદ્રશ્ય મહિમા, માન અને અવિનાશીપણું શોધે છે તેઓને તે અનંતજીવન આપશે. 8 પરંતુ જેઓ સ્વાર્થી છે, અને ઈશ્વરના સત્યને ગણકારતાં નથી અને દુષ્ટ માર્ગોમાં ચાલે છે, તેઓ પર ઈશ્વરનો કોપ ઊતરી આવશે. 9 પાપમાં રચ્યાં પચ્યાં રહેનાર દરેક પર દુઃખ અને યાતના આવી પડશે. પહેલાં યહૂદી પર પછી વિદેશીઓ પર. 10 પરંતુ સારું કરનાર દરેક જણને તેમના તરફથી મહિમા, માન તથા શાંતિ મળશે, પછી તે યહૂદી હોય કે વિદેશીઓ હોય. 11 કેમકે ઈશ્વરને ત્યાં પક્ષપાત નથી.