7 અથવા આ અદભુત મહાન પ્રકટીકરણને લીધે હું અભિમાન ન કરું, તે માટે, મને શિક્ષા આપવાં માટે શેતાનનાં દૂતે મને શરીરમાં પીડા આપવામાં કાંટારૂપી વેદના મૂકી જેથી હું અભિમાન ન કરું. 8 મારામાંથી દૂર કરવામાં આવે માટે મેં ત્રણ વાર પ્રભુને વિનંતી કરી. 9 પણ તેમણે મને કહ્યું: "તારે માટે મારી કૃપા પૂરતી છે. મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂણઁ થાય છે." તેથી મસીહનું પરાક્રમ મારાંં પર આવી રહે, એ માટે હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરું. 10 એ માટે, મસીહની ખાતર, વેદનામાં, અપમાનોમાં, કષ્ટોમાં, સતાવણીઓ અને મુશ્કેલીઓ વેઠવામાં હું આનંદ માનું છું, કેમકે જયારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું.
Publicidade
Publicidade