17 તેથી, જો કોઇ મસીહમાં છે, તો તે નવી ઉત્પતિ છે; જૂનું સઘળું જતું રહ્યું છે. 18 આ સર્વ ઈશ્વર તરફથી છે, જેમણે મસીહ દ્રારા આપણું સમાધાન કરાવ્યું અને સમાધાન કરવાની સેવા અમને સોંપી. 19 ઈશ્વર મસીહમાં પોતાની સાથે દુનિયા સાથે પોતાનું સમાધાન કરાવીને લોકોના પાપો તેમનાં લેખે ગણતાં નથી. અને તેમણે અમને સમાધાનનો સંદેશો સોંપ્યો છે. 20 એ માટે અમે મસીહનાં એલચી છીએ. જાણે કે ઈશ્વર અમારા દ્રારા વિનંતી કરતાં હોય. અમે મસીહ તરફથી તમને વિનંતી કરીએ છીએ કે, ઈશ્વરની સાથે સમાધાન કરો. 21 આપણે તેનામાં ઇશ્વરનાં ન્યાયીપણારૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું ન હતું તેને તેમણે આપણે માટે પાપરૂપ કયાઁ.