રકતપિતનો રોગી શુધ્ધ કરાયો
40 એક વાર રકતપિતનો રોગી ઈસુ પાસે આવીને ઘૂંટણે પડયો અને સાજા થવા આજીજી કરવા લાગ્યો, "જો તમે ચાહો તો મને શુધ્ધ કરી શકો છો."
41 ઈસુનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું, હાથ લાંબો કરી તેને સ્પર્શ કરી તે બોલ્યાં, "હું ચાહું છું કે તું શુધ્ધ થા." 42 તત્કાળ તેનો રકતપિત જતો રહ્યો અને તે માણસ સાજો થયો.