9 "તમારાં રીતરિવાજોને વળગી રહેવા માટે તમે ઈશ્વરના નિયમોને સારી રીતે નકારો છો! 10 જેમ કે મોશેએ ઈશ્વરની આ વાતો તમને કહી, ‘તારાં માતાપિતાનું સન્માન કર ને જે કોઈ પોતાના માતાપિતાને શાપ દે તે માર્યો જાય.’ 11 પણ તમે કહો છો, ‘કે જો કોઇ જાહેર કરે છે કે તેના માતાપિતાને મદદ કરવા માટે જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મેં ઈશ્વરને કુરબાન (એટલે ઇશ્વરને સમઁપણ) કરી દીધું છે.’ 12 તો તમે તેના માતાપિતાને સારું કંઈ કરવા દેતા નથી. 13 આ પ્રમાણે તમારાં રિતરીવાજોને ચાલુ રાખવા તમે ઈશ્વરની આ આજ્ઞા રદ કરો છો, અને એવા અનેક કામો તમે કરો છો."