ઉચ્ચ અધિકારીઓને આધીન
1 દરેક જણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું, કેમકે કે ઈશ્વરે જે સત્તા સ્થાપી છે તે સિવાય કોઇ સત્તા નથી. જે સત્તાઓ અસ્તિત્વમાં છે તે ઈશ્વરે સ્થાપી છે. 2 તેથી જે કોઇ સત્તાની વિરુધ્ધ બળવો કરે છે તે ઇશ્વરે જે સ્થાપન કર્યુ છે તેની વિરુધ્ધ થાય છે, અને જેઓ એવુ કરે છે તેના પર શિક્ષા આવી પડશે. 3 કારણ કે જેઓ સારા કામ કરે છે તેમને શાસકો ડરાવતા હોતા નથી. પણ જે ખોટું કરે છે તેમને ડરાવતા હોય છે. શું તમે અધિકારીઓના ડરથી મુક્ત રહેવા માગો છો? તો જે સાચુ છે તે કરો એટલે તમારા વખાણ થશે. 4 કારણ કે જે અધિકારી છે તે તમારા ભલા માટે ઈશ્વરનો સેવક છે. પણ જો તમે ખોટું કરો છો, તો ડરો, કારણ કે શાસકો કારણ વિના તરવાર ઉપાડતા નથી. તેઓ ઇશ્વરના સેવકો છે અને ખોટું કરનાર પર તે કોપરૂપી બદલો લાવનાર છે. 5 તેથી ફક્ત શિક્ષાની શક્યતાઓ ને કારણ જ નહિ પણ પ્રેરકબુધ્ધિને માટે પણ અધિકારીઓને આધીન રહેવું જોઈએ.
6 આ કારણ માટે તમે કર પણ ભરો છો. કારણ કે અધિકારીઓ ઈશ્વરના સેવકો છે. જેઓ પોતાનો પૂરો સમય શાસન માટે આપે છે. 7 દરેકને તમારા દેવાનું આપો: જેને કરનો, તેને કર; જો આવક હોય, તેને આવક; જો માન હોય, તો માન; જો સન્માન હોય, તો સન્માન.