12 તમારાં નાશવંત શરીર પર પાપને રાજ ન કરવા દો; જેથી તમે તેની દુર્વાસનાઓને આધીન ન થાઓ. 13 તમારાં શરીરનાં અવયવોને ભૂંડાઈનાં સાધન તરીકે પાપને ન સોંપો, પરંતુ મરણમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપાઈ જાઓ, તથા પોતાના અવયવોને ન્યાયપણાના સાધન તરીકે તેમને સોંપો. 14 હવેથી પાપ તમારાં પર રાજ કરશે નહિ, કેમકે તમે નિયમને આધીન નથી, પરંતુ કૃપાને આધીન છો.
15 તો શું? આપણે પાપ કરીએ કેમકે આપણે નિયમ હેઠળ નહિ પણ કૃપા હેઠળ છે? ના, કદી નહિ! 16 શું તમે નથી જાણતા કે, જયારે તમે પોતાને કોઇને આજ્ઞાકીંત ગુલામ તરીકે સોંપો છો, ત્યારે તમે જેની આજ્ઞા પાળો છો તેના તમે ગુલામ છો, કદાચ તમે પાપનાં ગુલામ છો, જે મૃત્યું તરફ દોરી લઇ જાય છે અથવા આજ્ઞાપાલનના, જે તમને ન્યાયપણા તરફ દોરી લઇ જાય છે. 17 તમે પહેલાં પાપનાં ગુલામ હતા, પરંતુ ઈશ્વરનો આભાર માનો કે હવે તમે તેમના શિક્ષણનો હ્રદયપૂર્વક સ્વીકાર કયોઁ છે. 18 આથી તમે પાપની ગુલામીમાંથી મુક્ત બનીને ન્યાયીપણાનાં ગુલામ બન્યા છો.