20 કેમકે ઈશ્વરનાં વચનો ગમે તેટલાં હશે તોપણ મસીહમાં હા છે; અને અમારી મારફતે ઈશ્વરનો મહિમા વધે એ માટે તેના વડે આમીન પણ છે. 21 હવે અમને તમારી સાથે મસીહમાં જે સ્થિર કરે છે તથા જેને અમને અભિષિકત કર્યા છે, તે ઈશ્વર છે. 22 તેણે અમને મુદ્રાકિત કર્યા છે, અને અમારા હ્રદયમાં પવિત્ર આત્માનો બાનું પણ આપ્યું છે.
Publicidade