Publicidade

2 Coríntios 4

7 પણ આ ખજાનો અમારા નિર્બળ શરીરરૂપી નાશવંત પાત્રોમાં રાખી મૂકવામાં આવેલો છે. તેથી પરાક્રમની અધિકતા ઈશ્વરથી છે અને અમારાંથી નથી એ જાણવાંમાં આવે. 8 ચારેબાજુ ઘેરાયેલા હોવા છતાં પણ, અમે દબાઈ ગયા નથી; મૂંઝાયેલા હોવા છતાં અમે નિરાશ થયેલાં નથી; 9 સતાવણી પામ્યા છતાં, તજાયેલા નથી; નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી; 10 ઈસુનું મરણ અમે અમારા શરીરોમાં સદા ઊંચકીને ફરીએ છીએ, તેથી મસીહનું જીવન અમારામાં પ્રગટ થાય છે. 11 કેમકે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુના જીવનને પણ અમારા મત્યઁ શરીરમાં પ્રગટ કરવામાં આવે.

Veja também

Publicidade
2 Coríntios
Ver todos os capítulos de 2 Coríntios
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-22_10-02-25-